અમદાવાદ, 13 ડિસેમ્બર, 2025ઃ Dr. Gyanvatsal Swamiji પૂજ્ય ડૉ. શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીએ ભારતકૂલ અધ્યાય–2માં ઉપસ્થિત રહી ‘ધ આર્ટ ઑફ બિકમિંગ અ જિનિયસ’ વિષય પર ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે જિનિયસ જન્મથી નહીં બને, પરંતુ બનવામાં આવે છે. યોગ્ય દિશામાં પ્રયત્ન કરીએ તો દરેક વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે.
સ્વામીજીએ કોલસો, ગ્રાફાઇટ અને હીરાનું ઉદાહરણ આપ્યું—ત્રણેય એક જ કુટુંબના હોવા છતાં તેમની કિંમતમાં ફેર છે, કારણ કે તેમની રચના અને ઘડતર અલગ છે. તે જ પ્રમાણે આપણે પણ પોતાને ગોઠવીએ, શિસ્તબદ્ધ બનીએ અને આપણા વિચારોને સનાતન ધર્મ સાથે જોડીએ, તો જીવનમાં વિશેષ મૂલ્ય મેળવી શકીએ.
સ્વામીજી અનુસાર ‘જિનિયસ બનવાની કલા’ માટે ત્રણ મૂળભૂત તત્ત્વ અનિવાર્ય છે:
દરેક કાર્યમાં શ્રેષ્ઠતા લાવવાનો પ્રયાસ કરવો. શ્રેષ્ઠતા આદત બને તો જીવનમાં ગુણવત્તા આવે છે.







