જોધપુરમાં, સીબીઆઈએ અપ્રમાણસર સંપત્તિ કેસમાં CGST અધિકારી અંકિત અસવાલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે જાન્યુઆરી 2020 થી જાન્યુઆરી 2024 સુધી તેમની અને તેમના પરિવારની કાયદેસરની આવક આશરે રૂ. 1.32 કરોડ હતી, જ્યારે આ જ સમયગાળા દરમિયાન, અસવાલે રૂ. 1.94 કરોડની સંપત્તિ હસ્તગત કરી અને ખર્ચ કરી હતી. એટલે કે તેમની સંપત્તિ તેમની જાણીતી આવક કરતાં લગભગ રૂ. 61.80 લાખ વધુ હતી.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, અંકિત અસ્વાલ અને તેના ભાઈ સંજયે જયપુરમાં 1.40 કરોડ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો હતો, ઉપરાંત 2022માં વધુ બે પ્લોટ ખરીદ્યા હતા. તપાસ દરમિયાન તેમનું બેંક બેલેન્સ, એફડીઆર, શેર અને ઘરની વસ્તુઓ પણ સામે આવી હતી.
અંકિત અસવાલની 2024માં 10 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં ધરપકડ થઈ ચૂકી છે. આ કેસમાં IRS ઓફિસર સંદીપ પાયલનું નામ પણ સામે આવ્યું હતું.



