(અલકેશ પટેલ) અમદાવાદ, 6 ડિસેમ્બર, 2025: Sanskrit Literature Festival S.L.F. શહેર વધુ એક વખત સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ માટે સજ્જ થઈ રહ્યું છે. નવરાત્રિ દરમિયાન સંસ્કૃત ભાષામાં માતાજીના ગરબા માણનાર આ શહેરને અગાઉ ત્રણ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનો લાભ મળ્યો છે. અને આ વર્ષે આ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ યોજાઈ રહી છે.

એકલવ્ય સંસ્કૃત એકેડેમી, સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી દિવ્યજીવન સાંસ્કૃતિક સંઘ (શિવાનંદ આશ્રમ) અને સંસ્કૃત સાહિત્ય અકાદમીના સહયોગમાં યોજાનાર આ વિશિષ્ટ કાર્યક્રમ શિવાનંદ આશ્રમ, જોધપુર ટેકરા, અમદાવાદ ખાતે આગામી શનિવાર અને રવિવારે – 13 અને 14 ડિસેમ્બરના રોજ માણી શકાશે. સંસ્કૃત ભાષા અને સંસ્કૃત ભાષામાં રહેલા સાહિત્યથી લોકો પરિચિત થાય અને એ દ્વારા સંસ્કૃત જન જન સુધી પહોંચે તે હેતુથી S.L.F.નું આયોજન થઈ રહ્યું છે.

એકલવ્ય સંસ્કૃત એકેડેમીના ડિરેક્ટર ડૉ. મિહિર ઉપાધ્યાયે આ સમગ્ર કાર્યક્રમ અંગે રિવોઈને આપેલી માહિતી અનુસાર, આગામી 13 ડિસેમ્બરને શનિવારે પ્રથમ સત્રનો પ્રારંભ બપોરે 2 વાગ્યે થશે. આ સત્રના મુખ્ય વક્તાઓ છેઃ સ્વામી અક્ષયાનંદ સરસ્વતી, મહંત પીઠાધીશ્વર શ્રી જગદગુરુ આશ્રમ જયપુર, શ્રી સદાશિવ સન્યાસમઠ દિલ્હી, ગંગા સમદર્શન આશ્રમ ઉત્તરકાશી, પ્રો. સુકાન્તકુમાર સેનાપતિ (કુલપતિ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વેરાવળ) તેમજ ડૉ. ભાગ્યેશ ઝા (અધ્યક્ષ શ્રી ગુજરાત સાહિત્ય અકાદમી).

એ જ દિવસે બીજા સત્રમાં બપોરે 4:30થી 6:30 દરમિયાન પ્રણવભાઈ પટેલ (નેતૃત્વ વિકાસક, સંસ્થાપક, ચાણક્ય આન્વીક્ષિકી પ્રા. લિમિટેડ) “કૌટિલ્ય અર્થશાસ્ત્ર” વિષય ઉપર તથા ડૉ. લલિત પટેલ (પ્રાધાનાચાર્ય ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા મહિલા કોમર્સ કોલેજ ગાંધીનગર) “વિદુરનીતિ” વિષય ઉપર વક્તવ્ય આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here