રાજકોટ, 4 ફેબ્રુઆરી 2026:  શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર ચંપકનગર પાસે આવેલા રણછોડનગર શેરી નંબર-1માં રહેણાંક મકાનમાં ગઈ મધરાત બાદ તસ્કરો ત્રાટક્યા હતા. કાર લઈને ચોરી કરવા આવેલા શખસો એક કરોડથી વધુ કિંમતની 120 કિલો ચાંદીના ઘરેણા ચોરીને પલાયન થઈ ગયા હતા.  ચોરીના બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન વન ટીમ તેમજ ઇન્ચાર્જ સીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા રાત્રીના 2થી 2.30 વાગ્યા આસપાસ ત્રણ જેટલા શખ્સો આવી ચોરીને અંજામ આપી કારમા ઘરેણાં ભરી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં કોઈ જાણભેદુ હોવાની શંકા આધાર પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના સામકાંઠે પેડક રોડ પર આવેલા રણછોડનગર શેરી નંબર-1માં રહેણાંક મકાનમાં ગઈ મધરાત બાદ તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ રાત્રીના અંધારાનો લાભ લઈને વેપારીના પરિચિતના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રાતના 2થી 2.30 વાગ્યા આસપાસ કારમાં આવેલા ત્રણ તસ્કરોએ આવીને 1 કરોડથી વધુની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી હતી ચોરીની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદી અતુલ લિંબાભાઈ ગુસા, જેઓ લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમના પરિચિત બિપિનભાઈના મકાનમાં (ચંપકનગર વિસ્તાર) રાખેલી આશરે 120થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા CCTV કેમેરાની ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે અને ચોરોની ઓળખ તથા ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં કોઈ જાણભેદુ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here