કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ને રદ્દ કરીને તેની જગ્યાએ નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત બિલનું નામ ‘વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ)’ હોવાનું કહેવાય છે, જેનું ટૂંકું નામ VB-G RAM G હશે. આ અંગે લોકસભામાં બિલ લાવવામાં આવે તેવી શક્યતા છે.

હવે આ મુદ્દે વિપક્ષની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગેહલોતે કહ્યું કે મનરેગાનું નામ બદલવાની કવાયત મહાત્મા ગાંધી પ્રત્યે અનાદર અને સરકારની સંકુચિત વિચારસરણી દર્શાવે છે.

તેમણે લખ્યું કે મનરેગાનું નામ બદલવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ તેની નાનકડી માનસિકતા અને મહાત્મા ગાંધી પ્રત્યેના અનાદરનો પુરાવો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here