World of Books પુસ્તક શબ્દ સાથે  એક નવા જ વિશ્વની બારી આપણી સમક્ષ ઉઘડી આવે છે. જેમાંથી ફક્ત આકાશનો એક ટુકડો જ નહિ, આખું આકાશ આપણી સમક્ષ ઝળાહળા થતું દેખાય છે. જેમાં જીવનના દરેક રંગ, રૂપ અને નવે નવ રસ દેખા દેતા રહે છે.

પુસ્તકોની આ અદભુત દુનિયાની, અનોખા પ્રવાસની મજાની શરૂઆત કરીશું એક પ્રશિષ્ટ કૃતિથી.. આ હૃદય સ્પર્શી પુસ્તક એટલે વિક્ટર હ્યુગોની અમર નવલકથા લે મિઝરેબલ.  23 માર્ચ, 1862માં પ્રકાશિત થયેલી આ બૃહદ નવલકથા મૂળ તો 2453 પાનામાં પથરાયેલી છે. ભાવનગરના આપણા સમર્થ અનુવાદક શ્રી મૂળશંકર ભટ્ટ સાહેબે એનો સંક્ષિપ્ત, સંઘેડા ઉતાર ભાવાનુવાદ 480 પાનામાં  “દુખીયારાં” તરીકે કરીને ગુજરાતી વાચકો સમક્ષ આ કૃતિ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ભક્ત કવિ ચંડીદાસે  ગાયું છે કે “સાબાર ઉપર માનુષ આછે, તાહર ઉપર નાઈ..” અર્થાત સૌથી ઉપર માણસ અને માત્ર માણસ છે. આ પુસ્તક પણ આ જ વાત કરે છે. આ પુસ્તક એટલે માનવતાની લાગણીનું પ્રતિબિંબ ઝીલતું મહાકાવ્ય.

 ભૂખ્યા ભાણીયાને ખવડાવવા મજબૂર બનેલો જીન વાલજીન બ્રેડનાં એક ટુકડાની ચોરી કરતા પકડાયો હતો. અહીં અનાયાસે આપણા પન્નાલાલ પટેલ યાદ આવી જાય છે. “ભૂખ ભૂંડી છે, ભાઈ, માણસ નહિ…બુભુક્ષિત નર: કિમ ન કરોતિ પાપમ?”

Announcement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here