અલકેશ પટેલ, અમદાવાદ, 17 નવેમ્બર, 2025: statements by Chaitar Vasava about Gen-z and alcohol and poultry આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યંત વિવાદાસ્પદ નિવેદન કરીને ફરી ચર્ચામાં છે. વસાવાના આ નિવેદનોને કોંગ્રેસે આવકાર્યા છે તો તેની સામે અનેક લોકોએ સોશિયલ મીડિયામાં આક્રોશ અને ચિંતા વ્યક્ત કર્યા છે. જોકે, આ અંગે ભાજપના પ્રવક્તાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.
વાસ્તવમાં વસાવાએ બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે ભરૂચના નેત્રંગમાં રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એ ભીડ જોઈને તાનમાં આવી ગયેલા આપના ધારાસભ્યે જે નિવેદનો કર્યાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
રાજ્યના સંવેદનશીલ નાગરિકોએ વસાવાના આ નિવેદનોને ગંભીર ગણીને તેની પાછળ કોઈ મોટું કાવતરું ઘડાઈ રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. એવો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો કે, “તો આદિવાસીઓના હિતેચ્છુ બનવા માટે મરઘો મારવો પડે? બકરો કાપીને મહુડાનો દેશી દારૂ પીવો પડે?”
એક રાષ્ટ્રવાદી પત્રકારે પણ સોશિયલ મીડિયામાં આ મુદ્દો ઉપસ્થિત કરીને ચૈતર વસાવાનાં નિવેદનો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી.








