ગાંધીનગરઃ કાયદા મંત્રી  ઋષિકેશ પટેલે આજરોજ ગાંધીનગર ખાતેથી રાજ્યની તમામ ચેરીટી કમિશનરની કચેરીઓમાં આવતા પી.ટી.એ.(પબ્લીક ટ્રસ્ટ) ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે “ઇ-પેમેન્ટ” સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ સુવિધાનો પ્રારંભ થતા ગુજરાતના ટ્રસ્ટીઓને સમગ્ર વ્યવસ્થામાં સુગમતા રહેશે. ફાળાની રકમ ભરવા માટે ટ્રસ્ટીઓ https://charitycommissioner.gujarat.gov.in વેબસાઇટ પર ઇ-પેમેન્ટ કરી શકાશે.

રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ 2,76,652 ટ્રસ્ટ રજીસ્ટ્રર થયેલ છે. 31-10-2024 ની સ્થિતિએ ગત્ વર્ષે 10.55 કરોડ ફાળો વસુલવામાં આવ્યો હતો.

અત્રે મહત્વની બાબત એ પણ છે કે, કુલ રજીસ્ટ્ર થયેલ ટ્રસ્ટમાંથી મેડિકલ અને શિક્ષણ જેવા સેવા ક્ષેત્ર માટે કામ કરતા ટ્રસ્ટોને બાદ કરતા કુલ અંદાજીત 1.65 લાખ જેટલા ટ્રસ્ટો પાસેથી જ ચેરિટી તંત્ર દ્વારા ફાળો ઉધરાવવામાં આવે છે.

હવેથી આ 1.65 લાખ જેટલા ટ્રસ્ટોને ફાળો ભરવા માટે ચેરિટી કચેરીની રૂબરૂ મુલાકાત લેવી પડશે નહીં સંપૂર્ણ વ્યવસ્થા ઓનલાઇન જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here