ગાંધીધામમાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC)ના પ્રતિનિધિઓ અને રેલ અધિકારીઓ વચ્ચે ગાંધીધામ ક્ષેત્રથી દિલ્હી અને અન્ય ઉત્તરી ક્ષેત્રો માટે ટિંબરના રેલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
બેઠકમાં અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ, વરિષ્ઠ મંડળ સંચાલન પ્રબંધક ડૉ. જેનિયા ગુપ્તા, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અનૂ ત્યાગી, ગાંધીધામના ક્ષેત્રીય રેલ પ્રબંધક (ARM) શ્રી આશિષ ધાનિયા સહિત રેલવેના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા. ઉપરાંત, સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC)ના પ્રતિનિધિઓ અને કાંડલા ટિમ્બર એસોસિએશનના નવ સભ્યો પણ બેઠકમાં ભાગ લીધો હતો.
બેઠકનો મુખ્ય ઉદ્દેશ ટિંબરના પરિવહનને રોડ માર્ગથી રેલ માર્ગ તરફ સ્થળાંતર કરવા માટે પ્રોત્સાહન આપવાનું હતું. ચર્ચાના દરમિયાન આ નોંધાયું કે ગાંધીધામ ક્ષેત્રમાં લગભગ 750 આરા મિલ્સ (સૉ મિલ્સ) છે, છતાં રેલ માર્ગથી ટિંબરનું પરિવહન હજુ પણ બહુ ઓછું છે.
બેઠકમાં રેલ આધારિત ટિંબરની લોડિંગને પ્રોત્સાહન આપવા, લોજિસ્ટિક્સ સહયોગને મજબૂત બનાવવા અને સંચાલન સંબંધિત પડકારોના ઉકેલ માટે વિવિધ વ્યૂહરચનાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો.
તમામ ભાગીદારોએ ટિંબરના રેલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પરસ્પર સહયોગથી કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. રેલ માર્ગથી લાકડાનું વધુ પરિવહન થવાથી લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધશે, રસ્તાઓ પર ભીડ ઘટશે અને પર્યાવરણ અનુકૂળ માલ પરિવહનને પ્રોત્સાહન મળશે.








