અમદાવાદ,15 માર્ચ 2026: once again bustling with hawkers  શહેરના ભદ્ર અને ત્રણ દરવાજા વિસ્તારમાં પાથરણાવાળા અને ફેરિયાઓને હટાવી દેવામાં આવતા વર્ષોથી ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન આ અંગે હાઈકોર્ટમાં અરજ ગુજારતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ભદ્ર પરિસરમાં કાયદેસરના ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને 21 માર્ચ સુધીમાં વેરિફિકેશન અને સર્ટિફિકેટ તપાસ કરીને નીતિ નિયમ મુજબ બેસવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારે ફેરિયાઓ અને પાથરણાંવાળાઓ ધંધો શરૂ કરી દેતા ફરી આ વિસ્તાર ફેરિયા અને પાથરણાવાળાથી ધમધમતો બન્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારે ફેરિયા કે પાથરણાવાળા પાસે હોકર્સ લાયસન્સ છે કે કેમ તે  નિયમ મુજબ તપાસ કરવામાં આવી નહીં અને જે પણ ફેરિયાઓ બેસી ગયા તેમને બેસવા દેવામાં આવ્યા હતાં. જગ્યા ફાળવી અને વ્યવસ્થિત રીતે બેસવા દેવા દેવાની સૂચના છતાં પણ ગમે તે જગ્યા ઉપર બેસી ગયા હતાં. હાઇકોર્ટના આદેશ બાદ તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારની કમિટીની રચના કરી નહીં અને ભદ્ર બજાર ફરીથી ધમધમતું થઈ ગયું છે.

શહેરના લાલ દરવાજાના ભદ્ર પરિસરમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓનો સર્વે કર્યા વિના તેમના હટાવવા બાબતે લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફરીથી 586 ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને બેસવા દેવા માટે આદેશ કર્યો હતો. ત્યારે ભદ્ર પરિસર ફરીથી ધમધમતું થઈ ગયું છે. શહેરના અનેક મધ્યમ વર્ગ અને ગરીબ લોકો ખરીદી માટે ત્રણ દરવાજા વિસ્તારમાં આવતા હોય છે. જેમાં રજાના દિવસોમાં તો ભારે બીજ જોવા મળતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here