અમરેલીઃ જિલ્લામાં પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે સાવરકુંડલા-મહુવા રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલી કિયા કારચાલકે 4 જેટલા વાહનોને ટક્કર મારી હતી. જેમાં બાઈકસવાર એક મહિલાનું મોત નિપજ્યું હતું. સાંવરકુંડલામાં મહુવા રોડ પર રાતના સમયે અકસ્માત સર્જાયો હતો. એક બેફામ કારચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લેતા ફંગોળી નાખ્યા હતા. કારની લપેટમાં લગભગ બેથી ત્રણ બાઈક-સ્કૂટર આવી ગયા હતા. ઘટનાને પગલે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર લોકોને પણ ગંભીર ઈજા પહોંચી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, સાવરકુડલા-મહુવા રોડ ઉપર આજે સમીસાંજ બાદ ગંભીર અકસ્માત સર્જાયો હતો પૂરફાટ ઝડપે કિયા કારે બે બાઈક અને સ્કૂટરને અફેટે લીધા હતા, જેમાં બન્ને બાઇકમાં સવાર 4 લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત બાદ કારચાલક કાર મુકીને નાસી ગયો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં જ સાવરકુંડલા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ સાવરકુડલા-મહુવા રોડ ઉપર કિયા કારના ચાલકે બે બાઈકને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઈકસવાર મહિલાનું મોત થયું છે. જ્યારે બન્ને બાઈકમાં સવાર અન્ય 4 લોકોને ઈજા પહોંચી હતી. જેથી તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતા. જ્યાથી વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન  એએસપી વલય વૈદ્ય પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા. અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. અકસ્માત સર્જ્યો તે સ્થળ આસપાસના મોટાભાગના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવી રહ્યા છે. આ અકસ્માતમાં વનીતાબેન ચીમનલાલ જોશી, (ઉંમર વર્ષ 58)નું મોત નિપજ્યુ હતુ. જ્યારે કેતનભાઇ ચીમનલાલ જોશી, (ઉમર વર્ષ 35 ગામ. બાઢડા), રિદ્ધિબેન કેતનભાઇ જોશી, (ઉંમર વર્ષ 28), જય અજીતભાઈ જોશી, (ઉંમર વર્ષ 14), અને રિવાબેન કેતનભાઇ જોશી,( ઉંમર વર્ષ 3)ને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here