મોરબીઃ શહેર નજીક રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલી જીઓ ટેક કલર કંપનીમાં શેડના પતરા પર કામ કરી રહેલા બે શ્રમિકો નીચે પટકાતા બન્નેના મોત નિપજ્યા હતા.મૃતક શ્રમિકોની ઓળખ કિશોરભાઈ કાંતિભાઈ અદગામા (ઉં. વ.40) અને દિનેશભાઈ સોમાભાઈ વરાણીયા (ઉ.વ.45) તરીકે થઈ છે. બંને મોરબીના ત્રાજપર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મોરબીનારફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલી જીઓ ટેક કલર કંપની આવેલી છે. બે શ્રમિકો કંપનીના શેડ પર પતરાની મરામત કરી રહ્યા હતા. ત્યારે બન્ને શ્રમિકો નીચે પટકાયા હતા. અને ગંભીર ઈજાઓને કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ બનાવની અન્ય શ્રમિકો પણ એકઠા થઈ ગયા હતા. અને બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવથી શ્રમિકોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. બન્ને શ્રમિકો ત્રાજપર ગામના હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવની મૃતકના સગા-સંબીધીઓને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ કારખાનામાં સુરક્ષા વ્યવસ્થા અને અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે.