સુરતના ગોડાદરા વિસ્તારની વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રૂમમાં સુતેલી પત્નિને બે દીકરીની નજર સામે જ પતિએ ચપ્પુથી રહેસી નીખી હતી. દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બુમાબૂમ કરી હતી. જે બાદ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી અને હાલમાં સૂરતના ગોડાદરા આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણીયા સહપરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક આઠ વર્ષની દિકરી અને એક એક ત્રણ વર્ષની એમ બે દીકરીઓ સાથે રહે છે. સંયુક્ત કુંટુંબમાં રહેતા પરિવારે જમ્યા બાદ દરેક પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા. પરંતુ રાત્રે નમ્રતાબેન અને જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન રાત્રીના લગભગ એક વાગ્યાની આસપાસ જયસુખભાઈએ બંને દીકરીઓની હાજરીમાં જ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. જે પછી રૂમ પણ લોહીલુહાણ થઈ ગયો હતો. મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહીલુહાણ જોતા બુમાબુમ કરી દીધી હતી.

જયસુખભાઈ ક્યારેક- ક્યારેક છૂટક મજૂરીનું કામ કરતાં :
પરિવારના જણાવ્યા પ્રમાણે જયસુખભાઈ ક્યારેક-ક્યારેક જ છૂટક મજૂરીનું કામ કરતાં હતા. મોટાભાગે તેઓ કામ પર ન જવાના કારણે ઝઘડાઓ થતા હતા. જ્યારે નમ્રતાબેન સાડી અને ચણીયા ચોળી વેચવાની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. પરંતુ જયસુખભાઈને દારૂ પીવાની ટેવ હતી. કામ પર ન જવાના કારણે પરિવારમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા. આ ઉપરાંત નમ્રતાબેનને સાસરિયાંઓ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here