અફઘાનિસ્તાન સાથે યુદ્ધની ઘોષણા બાદ પાકિસ્તાની શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. 27 ફેબ્રુઆરીના રોજ, પાકિસ્તાનનું મુખ્ય સ્ટોક એક્સચેન્જ કરાચી-100, અથવા KSE-100, લગભગ 2% ઘટ્યું. જોકે, બાદમાં તે થોડો શાંત થયો હતો. પાકિસ્તાની શેરબજારમાં આ મોટો ઘટાડો ત્યારે આવ્યો જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન હવે ખુલ્લેઆમ અફઘાનિસ્તાન સામેના યુદ્ધમાં જોડાયું છે. આ પછી બંને દેશો વચ્ચે યુદ્ધના સમાચાર આવ્યા હતા. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર ગોળીબાર કર્યો અને અફઘાનિસ્તાને વળતો જવાબ આપ્યો, જેના કારણે શેરબજારમાં ભારે વેચવાલી થઈ.

વધતા જિયોપોલિટિકલ ટેન્શનને કારણે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 961 પોઈન્ટ્સ અને નિફ્ટી 317 પોઈન્ટ ઘટીને બંધ થયા છે. પાકિસ્તાની શેરબજારમાં સૌથી વધુ ઘટાડો ઓટો એસેમ્બલી, સિમેન્ટ અને કોમર્શિયલ બેંકોના શેરમાં જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન KSE-100 ઈન્ડેક્સ 3,081 પોઈન્ટ્સ અથવા 1.82 ટકા ઘટીને 165,811 થઈ ગયો. બાદમાં તેમાં નોંધપાત્ર સુધારો થયો અને બપોરે તે 0.5 ટકા ઘટીને 168,062 પર આવી ગયો. સૌથી વધુ ઘટાડો ઓટોમોબાઈલ એસેમ્બલી, સિમેન્ટ, કોમર્શિયલ બેન્ક, ખાતર અને ઓઈલ એન્ડ ગેસ એક્સ્પ્લોરેશન શેરોમાં જોવા મળ્યો હતો.

થોડા મહિના પહેલા બંને દેશો વચ્ચે સમાધાન થયું હતું

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના થોડા મહિના પહેલા જ શાંતિ હતી, પરંતુ હવે બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. પાકિસ્તાની અધિકારીઓ અને અફઘાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને કાબુલ, કંદહાર અને દક્ષિણ અફઘાનિસ્તાનના કેટલાક ઉત્તર-પૂર્વ પ્રાંતોમાં હુમલા કર્યા છે, જ્યારે અફઘાનિસ્તાને ઈસ્લામાબાદમાં હુમલા કર્યા છે. બંને દેશો વચ્ચેની સ્થિતિ હવે ગંભીર બનતી જોવા મળી રહી છે.

ભારતીય શેરબજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ, ઈરાન અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે શુક્રવારે બીએસઈ માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે ભારતીય શેરબજારની માર્કેટ મૂડીમાં લગભગ ₹5 લાખ કરોડનો ઘટાડો થયો હતો. ઘણા હેવીવેઇટ શેરોમાં પણ તીવ્ર ઘટાડો થયો હતો. બેન્કિંગ અને એફએમસીજી સહિતના અન્ય સૂચકાંકો પણ દબાણ હેઠળ આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here