આદિપુર-કચ્છ, 24 ફેબ્રુઆરી, 2026 – કચ્છમાં મિશનરી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સની એક શિક્ષિકાની ધાર્મિક અસહિષ્ણુતાને કારણે સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. આ અંગે હિન્દુ સંગઠનોને જાણ થતા તેઓ સ્કૂલમાં પહોંચી ગયા હતા અને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરી.
મળતા અહેવાલ અનુસાર આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક વિદ્યાર્થિની પોતાની સાથે હનુમાન ચાલીસા લઈને ગઈ હતી. જો કે વર્ગના એક શિક્ષિકાથી આ સહન ન થયું અને તેમણે તે હનુમાન ચાલીસા લઈ લીધી અને તેને કચરાપેટીમાં ફેંકી દીધી.
આ વાતની જાણ વિદ્યાર્થિનીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોને થઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો શાળાએ પહોંચ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ શાળાના ગેટ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શિક્ષિકા સામે કાર્યવાહી








