ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ગૌરવ અવસરને વધાવવાનો સંકલ્પ ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં જે ગીતની રચનાના 150 વર્ષની ઉજવણી થઈ રહી છે તે વંદે માતરમની દરેક પંક્તિમાં ભારત માતાનું અર્થપૂર્ણ ભક્તિ ગાન છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વંદે માતરમ ગીતની તાકાત જ એટલી છે કે, ભલે તે ગુલામીના કાલખંડમાં રચાયું હોય પરંતુ તેનો અર્થ અને શબ્દો ગુલામીની છાયાં સુધી મર્યાદિત નથી રહ્યા આજે પણ એટલાં જ સુસંગત અને પ્રસ્તુત છે કે, આ વંદે માતરમ ગીત ક્યારેય અપ્રાસંગિક નહિ થાય.

આઝાદીની ચળવળને વેગ આપવાનું કારણ બનેલું વંદે માતરમ હવે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ અમૃતકાળમાં એ જ જોમ અને જુસ્સાથી વિકસિત ભારત – આત્મનિર્ભર ભારત માટે નવું પ્રેરણા બળ બની રહેશે તેમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, 1875માં બંકિમ ચંદ્ર ચટોપાધ્યાયજીએ વંદે માતરમની રચના કરીને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રચેતના સાથે સ્વતંત્રતાનો માર્ગ કંડાર્યો હતો અને જનજનમાં એવો વિશ્વાસ જગાવ્યો હતો કે, એવો કોઈ સંકલ્પ નથી જે પૂરો ન થઈ શકે, એવું કોઈ લક્ષ્ય નથી કે આપણે પ્રાપ્ત ન કરી શકીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here