રાયપુર. છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ ઐતિહાસિક બંધારણીય સ્પષ્ટતા આપતા કહ્યું છે કે હવે રાજ્યની ગ્રામસભાઓ તેમના કાયદાકીય અધિકારો હેઠળ નિર્ણય લઈ શકશે કે ધાર્મિક ઉપદેશકો ગામમાં પ્રવેશ કરશે કે નહીં. નાયબ મુખ્યમંત્રીએ ખ્રિસ્તી ઉપદેશકોની અપીલને ફગાવી દેવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને આદિવાસી સ્વ-શાસન અને PESA કાયદાની જીત ગણાવ્યો છે.

વિવાદ કાંકેર જિલ્લાની પંચાયતો સાથે શરૂ થયો, જેમણે તેમના ગામોમાં ખ્રિસ્તી ઉપદેશકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા બોર્ડ લગાવ્યા હતા. જેની સામે પ્રચારક સમુદાય પહેલા છત્તીસગઢ હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. નાયબ મુખ્ય પ્રધાન શર્માએ કહ્યું કે રાજ્ય સરકારે પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા કોર્ટમાં પોતાનો મજબૂત કેસ રજૂ કર્યો, જે પછી કોર્ટે સ્વીકાર્યું કે ગ્રામસભાઓ તેમની પરંપરાઓને જાળવી રાખવા માટે આવો નિર્ણય લઈ શકે છે.

વિજય શર્માએ સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય બંધારણની ભાવના અને આદિવાસી સંસ્કૃતિના રક્ષણની પુષ્ટિ કરે છે. તેમણે કહ્યું કે, છત્તીસગઢ સરકાર ગ્રામસભાઓના અધિકારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમે PESA નિયમોને વધુ અસરકારક બનાવવા પર કામ કરી રહ્યા છીએ જેથી કરીને આદિવાસી સમાજ તેની સંસ્કૃતિ અને પરંપરાઓને અકબંધ રાખી શકે.

આ નિર્ણય બાદ હવે રાજ્યના અન્ય આદિવાસી વિસ્તારોની ગ્રામ સભાઓ પણ પોતાના ગામમાં બહારના પ્રચારકોના પ્રવેશ અંગે કડક નિયમો બનાવી શકશે. PESA કાયદાની જોગવાઈઓને વધુ સ્પષ્ટ કરવા માટે સરકાર આગામી દિવસોમાં નવી માર્ગદર્શિકા જારી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here