આત્મકથાઓ ઘણી વાંચી છે. ઘણી ગમી છે, તો કોઈક નથી ગમી એવું પણ બન્યું છે. આત્મકથા એટલે જીવનને પાછું વળીને કે દૂર ઊભા રહીને વિતેલા, વહી ગયેલા સમયને પોતાના સંદર્ભમાં ફરી એકવાર વાગોળી જોવાનું જીવનકાર્ય.
“સત્યના પ્રયોગો” ગાંધીજી લખી શકે. સામાન્ય માનવીનું એ ગજું, હિંમત નહિ. પોતાની જાતને તદ્દન નિવસ્ત્ર કરવી, યથાતથા ઉઘાડી પાડવી એ કામ લોઢાના ચણા ચાવવા જેવું દુષ્કર ગણાય. બહુ ઓછી આત્મકથાઓમાં આ હિંમત હોય છે.
પરંતુ હિમાંશી શેલતની મુક્તિ વૃત્તાંત આત્મકથા વાંચતી વખતે લેખિકાના શબ્દોમાં રહેલી સચ્ચાઈ અંદર સુધી સ્પર્શતી રહી. 184 પાનામાં ગૂંથાયેલી આ કથા જાણે એક સત્ય હકીકત પર લખાયેલી નવલકથા વાંચતા હોઈએ એવો અહેસાસ કરાવી ગઈ. એના પાને પાને એક સચ્ચાઈ હોવાની અનુભૂતિ સતત થતી રહી.
શરૂઆતના પાના પર શ્રી ટાગોરની આ પંક્તિ જાણે આ પુસ્તકનો સાર, તેનો મર્મ સમજાવી ગઈઃ


