જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. જોકે, ભૂકંપનું કેન્દ્ર ભારતમાં નહીં, પરંતુ તાજિકિસ્તાનમાં હતું. હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. આ અંગે માહિતી આપતા સ્થાનિક હવામાન વિભાગના નિર્દેશક મુખ્તાર અહેમદે જણાવ્યું કે ભૂકંપ સવારે 2.44 કલાકે આવ્યો હતો અને તેની તીવ્રતા 5.3 હતી.

ભૂકંપ સપાટીથી 110 કિલોમીટર નીચે આવ્યો હતો

હવામાન વિભાગના નિર્દેશકે વધુમાં જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનમાં હતું અને તે પૃથ્વીની સપાટીથી 110 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. તેનું ચોક્કસ સ્થાન 38.26 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 73.42 ડિગ્રી પૂર્વ રેખાંશ હતું. તેના આંચકા ભારતના જમ્મુ-કાશ્મીર સુધી અનુભવાયા હતા. કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, તેઓ તેમના રસોડામાં વાસણોના ગડગડાટથી જાગી ગયા હતા. જ્યારે તેઓ જાગી ગયા, ત્યારે તેમને સમજાયું કે જમીન ધ્રૂજી રહી છે અને ભૂકંપ આવ્યો છે.

2005નો વિનાશક કાશ્મીર ભૂકંપ

કાશ્મીરની ભૌગોલિક રચના આ ક્ષેત્રમાં ભૂકંપનું મુખ્ય કારણ છે. ભૂતકાળમાં અહીં અનેક વિનાશક ભૂકંપ આવી ચૂક્યા છે. 8 ઓક્ટોબર, 2005ના રોજ 7.6ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો, તેનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના મુઝફ્ફરાબાદ શહેરથી 19 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું. આ ભૂકંપમાં 80,000 થી વધુ લોકો માર્યા ગયા હતા, અને મુઝફ્ફરાબાદ શહેર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં પણ હજારો ઈમારતોને નુકસાન થયું હતું અને લગભગ એક મહિના સુધી આફ્ટરશોક્સ અનુભવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here