ગાંધીનગર, 8 જાન્યુઆરી, 2026 – Somnath Swabhiman Parva સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે આખું ગુજરાત આજથી ત્રણ દિવસ સુધી શિવમય બનશે. સોમનાથ મંદિરના ભવ્ય ઐતિહાસિક વારસાને ઉજવવાના ભાગરૂપે યાત્રાધામ સોમનાથ સહિત આખા ગુજરાતમાં તે નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે.

આ સંદર્ભે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માએ સોમનાથ પર્વ – 2026ના કાર્યક્રમ સંદર્ભે જણાવ્યું હતું કે, ભારતની અખંડ આસ્થા, અડીખમ સ્વાભિમાન અને સનાતન સંસ્કૃતિના પ્રતીક સમાન  સોમનાથ મહાદેવ મંદિર પર છેલ્લા 1,000 વર્ષ દરમિયાન થયેલા વારંવારના આક્રમણો થવા છતાં પણ અડગ રહીને ઉભેલું સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિની અતૂટ શ્રદ્ધા અને અવિસ્મરણીય શક્તિનું જીવંત પ્રતીક છે. પ્રથમ આક્રમણને 1,000 વર્ષ તથા મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ને યાદગાર બનાવવા માટેનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વની ઉજવણી તારીખ 08 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી 2026 દરમ્યાન રાજ્ય અને દેશવ્યાપી સ્તરે કરવામાં આવશે.

જુઓ વીડિયો…

‘સોમનાથ સ્વાભિમાન પર્વ-2026’નો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મની અખંડ આસ્થા, સહનશીલતા અને શક્તિને નવી પેઢી સુધી પહોંચાડવો, સોમનાથ મંદિરના રક્ષણ માટે જીવન સમર્પિત કરનાર બલિદાનોનું સ્મરણ કરવું તથા રાષ્ટ્રના સાંસ્કૃતિક સ્વાભિમાનને વધુ મજબૂત બનાવવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here