ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની અસર એર ટ્રાફિક પર પણ જોવા મળી રહી છે. સોમવારે (29 ડિસેમ્બર) સવારે લગભગ 1:30 વાગ્યાથી જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમાં ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6252, સ્પાઈસજેટની SG 386 અને SG 012 જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ IX 1348 સામેલ છે.
એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ હતી. વિમાનોના સુરક્ષિત ઉતરાણ અને મુસાફરોની સુવિધા માટે જયપુર એરપોર્ટ પર તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. સ્થિતિ એવી છે કે રસ્તાઓ, પુલ અને એલિવેટેડ રોડ પર કશું જ સ્પષ્ટ દેખાતું નથી. ધુમ્મસ સાથે ઠંડા પવનોને કારણે ઠંડીની અસરમાં વધુ વધારો થયો છે. કાતિલ ઠંડીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હાલમાં હવામાનમાં કોઈ મોટા ફેરફારના કોઈ સંકેત દેખાતા નથી.








