રામ નથી એ ભવન,વન બની જાય છે.
રામચરિત માનસ એ લવલેશથી પુર્ણેશ સુધીની યાત્રા છે.
હું રામકથા નહીં પણ જાણે કે ગુરુગાથા ગાઇ રહ્યો છું,રામકથા ઇષ્ટ,પરમપ્રિય માધ્યમ છે.”
ખજાનો અંદર છે પણ એની ચાવીનો ઝૂડો આપણા ગુરુ પાસે,મા પાસે છે.
બુદ્ધપુરુષ અને આચાર્યોને મોક્ષ,મુક્તિ કે સ્વર્ગ નહીં પણ આશ્રિતનાં દિલ સુધી પહોંચવું હોય છે.
બીજ પંક્તિઓ:
જેહિ જેહિ દેસ ધેનુ દ્વીજ પાવઇહિ;
નગર ગાંઉ પુર આગ લગાવહિં
-બાલકાંડ દોહા-૧૮૩
ધેનુ રુપ ધરિ હ્રદય બિચારિ;
ગઇ તંહાં જહં સુરમુનિ જારી
-બાલકાંડ દોહા-૧૮૪
આ બીજ પંક્તિઓ સાથે નવમા દિવસે બાપુએ નિમિતમાત્ર મનોરથી હરેશ નટવરલાલ સંઘવી(વીણા ડેવલપર્સ) પરિવાર તેમજ પદ્મશ્રીથી સન્માનિત પરમ વિરાગી રમેશ બાબાજી-જેનાં દ્વારા ૬૫૦૦૦થી વધારે ગાયોનું પાલન પોષણ થાય છે એ બદલ બાપુએ આયોજનથી માંડી બધા માટે ખૂબ જ પ્રસન્નતા,સાધુવાદ સાથે લખીને જણાવ્યું કે: બાબાજીનો ગૌસંકલ્પ અને હનુમાનજી રુદ્રનાં રૂપમાં સંરક્ષણથી,પુણ્ય પ્રેમપ્રસાદથી આ કથાનું પ્રમાણ અને પરિણામ આપણને મળ્યું છે. અગાઉ બાબાજીએ ૧૯૭૫માં કરેલી શ્રીમદ ભાગવત કથાને પુસ્તક રૂપે લખાઇ એ પછી એનું મરાઠીમાં રૂપાંતર પટવર્ધન સાહેબે કર્યું તેનું આજે વ્યાસપીઠ દ્વારા બ્રહ્માર્પણ કરવામાં આવ્યું. બાબાજી આ કથાથી ખુબ ખુશ હતા અને એક જ શબ્દ આપ્યો-એક્સેલન્ટ! આ કથા દ્વારા આજ સુધીમાં ૧૬ કરોડ રૂપિયા જેવી રાશિ ગૌશાળા માટે એકછી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here