અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શેરહોલ્ડરોને પત્ર લખીને જણાવ્યું હતું કે, 24 જાન્યુઆરી 2023ના દિવસની એ એક એવી સવાર તરીકે યાદ કરવામાં આવશે જ્યારે ભારતના બજારો દલાલ સ્ટ્રીટથી લઇ જોજનો દૂર સુધી ગુંજતી અખબારોની હેડલાઇન્સથી જાગ્યા હતા. હિન્ડેનબર્ગનો અહેવાલ ફક્ત આપ સહુના અદાણી સમૂહની ટીકા કરતો નહોતો. પરંતુ તે ભારતીય સાહસોની વૈશ્વિક સ્તરે સ્વપ્ન જોવાની હિંમત સામે સીધો પડકાર હતો.
આપના સમૂહ માટે તે એક કસોટીની શરૂઆત હતી જેણે અમારી સ્થિતિસ્થાપકતાના પ્રત્યેક પાસાને આગળ ધપાવી હતી. તેણે અમારા શાસન, અમારા લક્ષ્ય ઉપરાંત ભારતીય કંપનીઓ વિશ્વને સ્કેલ અને મહત્વાકાંક્ષા તરફ દોરી શકે છે તે મંથન પર પણ સવાલ ખડો કર્યો હતો.
આ ગતિવિધિ વચ્ચે ઝડપથી આગળ વધ્યા, અને ગયા અઠવાડિયે ભારતના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અમારી સામેના આરોપોને ફગાવી દેતો એક ઠોસ અને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. SEBI ના સ્પષ્ટ અને અંતિમ શબ્દોની મહોર સાથે સત્યનો ઝળહળતો વિજય થયો છે અથવા અમે જેમ હંમેશા કહેતા રહ્યા છીએ તેમ सत्यमेव जयते (સત્યનો જ વિજય થશે).
જે તત્વો આપણને નબળા પાડવાના હતા તેણે જ આપણા પાયાના મૂળીયાને મજબૂત બનાવ્યા છે. આ ઘડી ફક્ત નિયમનકારી સત્તાધિશોની મંજૂરી જ નથી પણ તે પારદર્શિતા, શાસન અને ધ્યેયનું એક શક્તિશાળી પ્રમાણીકરણ છે જેની સાથે આપની કંપની સદાય કાર્યરત છે.અમારી સ્થિતિસ્થાપકતાનો સાચો પુરાવો શબ્દોમાં નહીં પરંતુ આ સમયગાળા દરમિયાન થયેલી કામગીરીમાં છે. પોર્ટફોલિયો કંપનીઓએ નાણાકીય વર્ષ 23માં EBITDA જે ₹57,205 કરોડ હતો જે વધીને નાણાકીય વર્ષ 25 માં ₹89,806 કરોડ થયો છે. ₹32,601 કરોડનો આ વધારો 57%ની સંપૂર્ણ વૃદ્ધિ અને 25% ના બે વર્ષના CAGRનું પ્રતિનિધિત્વ કરે છે.



