અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. તેમણે નિકોલમાં રોડ શો કર્યા બાદ જંગી જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર GSTમાં સુધારા કરી મોટી ભેટ આપશે. આ દિવાળીએ વેપારીઓ હોય કે કોઈપણ સૌને ખુશીનું ડબલ બોનસ મળવાનું છે. ગણપતિબાપાના આશીર્વાદથી ગુજરાતના વિકાસ સાથે જોડાયેલા અનેક યોજનાઓનું શ્રીગણેશ થયું છે. વિકાસના દરેક પ્રોજેક્ટ જનતાના ચરણોમાં સમર્પિત કરવાની તક મળે તે મારું સૌભાગ્ય છે. વડોદરામાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બની રહ્યા છે. EV માટે પણ ગુજરાત મોટું હબ બની રહ્યું છે. ગુજરાત સેમિકન્ડક્ટરમાં પણ મોટું નામ કરવા જઈ રહ્યું છે. દવાઓ, ટેક્સટાઇલ, ફાર્મા ઉત્પાદનો સહિત દેશની એક તૃતિયાંશ નિકાસ ગુજરાતમાંથી થઈ રહી છે. પહેલગામનો બદલો કેવી રીતે લીધો તે આખી દૂનિયાએ જોયુ છે. માત્ર 22 મીનીટમાં બધુ સફાચટ કરી દીધુ હતું.
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત ભારત માતા કી જયના નારા સાથે કરી હતી. બાદમાં તેમણે મંચ પર હાજર સૌ મહાનુભાવોનો આભાર માન્યો હતો. સભામાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા ત્યારે પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે ઘણી વખત મને વિચાર આવે કે આ કેવું નસીબ હશે કે તમારો પ્રેમ મને મળ્યો. સાથે જ કહ્યું કે હું આપ સૌનો આભાર માનું છું.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ગણપતિબાપાના આશીર્વાદથી ગુજરાતના વિકાસ સાથે જોડાયેલા અનેક યોજનાઓનું શ્રીગણેશ થયું છે. વિકાસના દરેક પ્રોજેક્ટ જનતાના ચરણોમાં સમર્પિત કરવાની તક મળે તે મારું સૌભાગ્ય છે. વિકાસ કાર્યોને લઈને તેમણે જનતાને અભિનંદન પાઠવ્યા હતા. ચોમાસાને લઈને કહ્યું વરસાદની સિઝનમાં ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દેશમાં ઘણી બધી જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. જેથી હું દરેક પ્રભાવિત પરિવારોને મારી સંવેદના વ્યક્ત કરું છું. સાથે જ કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક રાજ્યની સરકારો સાથે મળીને રાહત અને બચાવના કામમાં લાગી છે.
અમદાવાદને લઈને તેમણે કહ્યું આજે અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત દેશો પૈકી એક છે. સાથે જ તેમણે ટેરીફ વોરને લઈને પણ સ્પષ્ટ ભાષામાં જણાવ્યું કે ભારત હંમેશા પોતાના પશુપાલકોના હિતને લઈને પહેલા વિચાર કરશે. આ સિવાય તેમણે નામ લીધા વગર એવું પણ કહ્યું હતું કે આજે દુનિયાના તમામ દેશો પોતાનું જોઈ રહ્યા છે જે આખું વિશ્વ જોઈ રહ્યું છે. અમદાવાદ આજે સપનાઓ. અને સંકલ્પોનું શહેર બન્યું છે.એક સમય હતો જ્યારે અમદાવાદને ખાડાવાદ કહેતા હતા. સ્વચ્છતા અભિયાન રોજ અને પેઢી દર પેઢી કરવાનું છે. સ્વચ્છતાને સ્વભાવ બનાવીએ તો જ ધાર્યું પરિણામ મળશે. સાબરમતી નદી સૂકી હતી અને સર્કસ થતા તેમજ બાળકો ક્રિકેટ રમતાં હતા. આજે રિવરફ્રન્ટ ફરવાનું સૌથી શ્રેષ્ઠ સ્થળ બની ગયું છે. કાંકરિયા તળાવનું પાણી પણ લીલું અને વાસ મારતું હતું. અસામાજિક તત્ત્વો માટેનું ફેવરિટ સ્થળ હતું, ત્યાં કોઈ નીકળવા તૈયાર નહોતું. આજે ફરવાનું સૌથી શ્રેષ્ઠ સ્થળ બની ગયું છે. કાંકરિયા કાર્નિવલ અમદાવાદનું સૌથી મોટું ઘરેણું બની ગયું છે. આજે આપણું શહેર દુનિયામાં ચમકી રહ્યું છે. આજે ટુરિઝમ માટે ગુજરાત એક ડિસ્ટોનેશન બની ગયું છે.