નવી દિલ્હી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકરે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ દરમિયાન પીસીમાં તેની સાથે ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતો. આ ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે પણ આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. મોહમ્મદ શમીને ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાહેર કરવામાં આવેલી 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદર ઉપરાંત કુલદીપ યાદવને પણ જગ્યા મળી છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે જ્યારે શુભમન ગિલ વાઇસ કેપ્ટન હશે. આ સિવાય વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હાર્દિક પટેલનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને જે ગ્રુપમાં રાખવામાં આવ્યું છે તેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ પણ છે. ભારતની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સાથે રમાશે. જ્યારે 23મી ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે. આ પણ માત્ર દુબઈમાં જ રમાશે. 2 માર્ચે દુબઈ સ્ટેડિયમમાં ભારતની ન્યુઝીલેન્ડ સાથે મેચ રમાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં, બીજી મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં જ્યારે ત્રીજી અને અંતિમ મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here