સમાજલક્ષી અને હકારાત્મક સમાચારો આપવામાં અગ્રેસર દૈનિક ‘સનવિલા સમાચાર’ની આગવી ઓળખ

‘સનવિલા સમાચાર’ અખબારની તેરમી વર્ષગાંઠ નિમિત્તે અખબારના તંત્રી અક્ષેશકુમાર સાવલિયાએ જણાવ્યું હતું કે, ખૂબખૂબ શુભેચ્છાઓ સાથે વાંચકોનો ધન્યવાદ. 13 વર્ષના ટૂંકાગાળામાં ‘સનવિલા સમાચાર’ અખબારે સૌ વાચકોના દિલમાં પોતાના અખબાર તરીકેની પ્રતિષ્ઠા જમાવી એ જ આ અખબારની સિદ્ધિ છે. અખબારના માધ્યમ થકી દેશ-દુનિયાની ખબરોથી વાચકોને માહિતગાર કરવાની સાથેસાથે આ અખબારે સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવી સમાજ સેવાનું અનોખું કાર્ય કર્યું છે. ખાસ કરીને સમાજલક્ષી કાર્યક્રમોએ આ અખબારની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. એક અખબાર ઠંડીમાં ઠૂઠવાતાં ગરીબો માટે ગરમ વસ્ત્રો એકત્ર કરીને આપવાનું કાર્ય કરે, વૃક્ષારોપણ થકી પર્યાવરણ જાગૃતિ લાવે, કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણી મૂકવાની અપીલ કરી નિ:શુલ્ક કૂંડાંનું વિતરણ કરે એ ખરેખર પ્રશંસનીય છે. સનવિલા સમાચાર અખબારે વિવિધ વિષયોની સામગ્રી પીરસી સમાજને ઘણું આપ્યું છે. ભવિષ્યમાં આ જ રીતે આ સમાચારપત્ર પ્રગતિ કરે એવી પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના સહ તેરમા વર્ષમાં મંગલ પ્રવેશની હાર્દિક શુભેચ્છા… આજે વર્ષગાંઠ નિમિત્તે અખબારના સ્ટાફ સાથે મળી ઓફિસમાં ઉજવણી કરી ત્યારે કામના હિસાબે ઉજવણીમાં ગેરહાજર રહેનાર સ્ટાફને વિશેષ શુભેચ્છા આપું છું કે તેઓ ઉજવણી કરતા અખબારને તેરમા વર્ષમાં વધુ ઉંચાઇ પર લઇ જવા કમર કસી રહ્યાં છે. વાંચકોને એ વાત જાણીને આનંદ થશે કે ‘સનવિલા સમાચાર’ (ગુજરાતી દૈનિક) હવે કલરફૂલ જોવા મળી રહ્યું છે. વાંચકોની વિશેષ માંગને ધ્યાનમાં લાઇ પહેલી જૂન, 2014થી આ અખબારને કલરફૂલ બનાવવામાં આવ્યું છે. વધુ સમાચાર, હકારાત્મક સમાચાર સાથે આગામી સમયમાં વાંચકોની સમક્ષ હંમેશા ઊભા રહીશું. આપના સાથ અને સહકારની અપેક્ષા સાથે સૌનો ખૂબ ખૂબ આભાર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here