ભારતમાં ફૂગના ચેપનો વધારો જોવા મળે તેવી મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે નેચરલ મેડિસીનમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ થઈ છે. સ્કીન રિવાઇવ એ ચામડીના ગંભીર ફૂગના ચેપનો પેટન્ટેડ, સ્ટીરોઇડ-ફ્રી ઉપચાર છે જેને એથનિક દ્વારા વિકસાવવામાં આવ્યો છે. એથનિક એ આગામી પેઢીની વેલનેસ બ્રાન્ડ છે જે ખોરાક આધારિત પરંપરાને વૈજ્ઞાનિક માન્યતા સાથે જોડે છે.આ નવીનતા ખૂબ મહત્વના સમયે આવી છે. ઈન્ડિયન એસોસિયેશન ઓફ ડર્મેટોલોજીસ્ટ્સ, વેનેરિયોલોજીસ્ટ્સ એન્ડ લેપ્રોલોજીસ્ટ્સ (આઈએડીવીએલ)ના મતે ડર્મેટોફિટોસિસ જેવા ફૂગનો ચેપ ભારતના કેટલાક રાજ્યોમાં 61 ટકા જેટલા લોકોને અસર કરી શકે છે જેમાં ચોમાસાના ભેજવાળા મહિનાઓમાં કેસોનું પ્રમાણ વધે છે. આમ છતાં પરંપરાગત સારવારો મોટાભાગે સ્ટીરોઇડ આધારિત ક્રીમ પર આધારિત હોય છે જે બીમારી ફરીથી થવાનું અને દવા સામેની પ્રતિરોધકતાનું જોખમ વધારે છે. ડર્મેટોલોજીસ્ટ્સમાં આ એક વધી રહેલી ચિંતા છે.સ્કીન રિવાઇવે એક અલગ રસ્તો અપનાવ્યો. આ ફોર્મ્યુલાને ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ખાસ રચના અને કાર્ય પદ્ધતિ માટે પેટન્ટ મળી છે. તેમાં બદામનો અર્ક, નાળિયેર તેલ, નીલગિરી તેલ અને કેમોમાઇલનો સમાવેશ થાય છે, જેને ખાસ તાપમાન અને પ્રેશર એક્સ્ટ્રેક્શન મેથડ્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેથી તેની સંપૂર્ણ ઉપચારક શક્તિ જળવાઈ રહે. સીટીઆરઆઈમાં નોંધાયેલા ક્લિનિકલ ટ્રાયલ્સમાં 90 ટકાથી વધુ અસરકારકતા દર્શાવવામાં આવી છે.એથનિકના સહસ્થાપક તેજિન્દર વિર્કે જણાવ્યું હતું કે “આ પહેલી વાર છે જ્યારે ફૂગના ચેપ્ માટે સાચા અર્થમાં પેટન્ટ થયેલો કુદરતી ઉપચાર બજારમાં લાવવામાં આવ્યો છે. અમે ખોરાક આધારિત ઉપચારોની સમજને કડક વૈજ્ઞાનિક અભ્યાસ સાથે જોડીને એથનિકની શરૂઆત એવા સોલ્યુશન્સ આપવા માટે કરી હતી જ્યાં પરંપરાગત દવાઓ પૂરેપૂરી અસરકારક નથી હોતી. સ્કીન રિવાઇવ અમારો પહેલો પુરાવો છે અને આ ફક્ત શરૂઆત છે.”એથનિકની સ્થાપના ભારતની પ્રાચીન ખોરાક આધારિત ઉપચાર પરંપરાઓને આધુનિક વૈજ્ઞાનિક રીતે જોડવા માટે કરવામાં આવી હતી, જેથી એવા કુદરતી ઉપચારો બનાવવામાં આવે જે અસરકારક અને પારદર્શક હોય. આ બ્રાન્ડ પ્રકૃતિ આધારિત, ગંભીર સંશોધન દ્વારા સમર્થિત અને આજના સ્વાસ્થ્ય પડકારો માટે બનાવાયેલા વેલનેસ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે.પેટન્ટના શોધકોમાંના એક ડો. સુનીતા કુમારી દ્વારા વિકસાવવામાં આવેલું સ્કીન રિવાઇવ આયુષ-પ્રમાણિત, જીએમપી ધોરણો પ્રમાણે બનાવવામાં આવેલું અને વિવિધ પ્રકારના ફૂગના ચેપ સામે પરીક્ષણ કરાયેલું છે. પરંપરાગત એન્ટીફંગલ દવાઓથી વિપરીત, જે ઘણીવાર લક્ષણોને દબાવી દે છે, આ ઉપચાર ફૂગના વધુ પડતા વિકાસનું મૂળ કારણ દૂર કરે છે અને તેમાં સ્ટેરોઇડ્સના જોખમો નથી.ડો. સુનીતાએ જણાવ્યું હતું કે “અમારા ક્લિનિકલ પરિણામો બતાવે છે કે જે કેસોમાં પરંપરાગત ઉપચાર નિષ્ફળ ગયા હતા, તેમાં સ્પષ્ટ અને લાંબા સમય સુધી સુધારો જોવા મળ્યો હતો.”એથનિકની સ્થાપના તેજિન્દર વિર્ક, ડો. રાજોરિયા અને ડો. અંકિત વાત્સ્યાયન દ્વારા ભારતની ખોરાક આધારિત ઉપચાર પરંપરાઓને વૈજ્ઞાનિક રીતે કડક બનાવવા માટે કરવામાં આવી હતી. સ્કીન રિવાઇવ એ આ બ્રાન્ડની પહેલી પ્રોડક્ટ છે અને ભવિષ્યમાં વધુ નવીન પ્રોડક્ટ્સ રજૂ થશે.10 મિલી અને 30 મિલીના પેકમાં ઉપલબ્ધ, સ્કીન રિવાઇવ લાંબા સમયથી ચાલતા ચામડીના ગંભીર ફૂગના ચેપ માટે પેટન્ટ થયેલો અને ક્લિનિકલ રીતે સાબિત થયેલો કુદરતી ઉપચાર આપે છે. ચામડીના ગંભીર ફૂગના ચેપની સ્થિતિ માટે ભારતમાં દવાઓ સામે પ્રતિરોધ વધવાને કારણે સારવાર કરવી મુશ્કેલ બની રહી છે. મજબૂત ક્લિનિકલ આધાર અને વિકાસમાં રહેલી નવીનતાઓની શ્રેણી સાથે, એથનિક ભારતમાં વેલનેસને નવી રીતે વ્યાખ્યાયિત કરવા માંગે છે અને તે પણ એક સાબિત થયેલા ઉપચારથી શરૂઆત કરીને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here