સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર ટ્વીનસિટીને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ લોકોને મળતી પ્રાથમિક સુવિધામાં કોઈ ફેર પડ્યો નથી. ત્યારે વઢવાણ ધોળીપોળથી મોતીચોક સુધીના વિસ્તારમાં રસ્તા, વીજળી અને ખાસ કરીને પાણીની સુવિધા ન મળતા કોંગ્રેસ દ્વારા વઢવાણ લીંબડી હાઇવે ચક્કાજામ કરવામાં આવતા દોડધામ મચી હતી. અંતે પોલીસ બોલાવવામાં આવી અને તેમણે કાર્યકરોની ધરપકડ કર્યા બાદ રસ્તો ખુલ્લો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન બન્યા પછી 6 મહિનાથી વધુ સમય વીત્યો પણ વહીવટી તંત્ર પ્રાથમિક સુવિધા આપવામાં ઊણુ ઉતર્યું છે. વઢવાણ શહેરને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તે મળતી નથી, લોકો ત્રાહિમામ્ છે. વઢવાણમાં રોડ, રસ્તા, ગટર જેવી સુવિધા લોકોને મળતી નથી. વઢવાણ શહેરમાં પીવાના પાણી અને રોડ, રસ્તાની અસુવિધાને લઈ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આથી વઢવાણમાં પાણી, રસ્તા જેવી સુવિધા માટે લોકો વારંવાર રસ્તા રોકો જેવા આંદોલન તરફ ઉતર્યા છે. ત્યારે વઢવાણ ધોળીપોળ નવા દરવાજા સહિત વિસ્તારમાં પ્રજાને પ્રાથમિક સુવિધા ન મળતા પાણી બતાવ્યું હતું. વઢવાણમાં કોંગ્રેસના નેતા મહેન્દ્રભાઈની આગેવાનીમાં મહિલાઓ, બાળકો, સ્થાનિકો સહિત લોકો રસ્તા ઉપર બેસી ગયા હતા. જેમાં વઢવાણ લીંબડી હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો. આથી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. મામલો થાળે પાડવા માટે પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે મહેન્દ્રભાઈ પરમાર, ઇમરાનભાઈ સહિત 7ની અટકાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here