સરકારી નોકરીઓની તકો ઉપલબ્ધ થઈ હતી, તેવી ઝડપે હવે ભરતીઓ થવાની નથી! સરકારે 16 વિભાગો દ્વારા 30 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરેલા 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વર્ષ ૨૦૩૩ સુધીમાં માત્ર ૧,૮૨,૨૪૮ જેટલી જગ્યાઓ માટે જ નવી નોકરી ઉપલબ્ધ થશે.ગુજરાત સરકારે ગત દાયકામાં એટલે કે, વર્ષ 2014થી 2023ની વચ્ચે 1.67 લાખ અધિકારી-કર્મચારીઓની મોટી ભરતી કરી હતી. આ ભરતીઓ વર્ષ 2019ના આંદોલન, 2020થી કોવિડ-19ની મહામારીના ત્રણ વર્ષ અને પેપર લીકેજની ઘટનાઓ વચ્ચે પણ ચાલુ રહી હતી. હાલમાં રાજ્ય સરકારના ખાતાઓમાં કુલ 4,71,738 જેટલા અધિકારી-કર્મચારીઓ કાર્યરત છે. અધિકાંશ સરકારી ભરતીઓ વિતેલા એક જ દાયકામાં થઈ હોવાથી, હવે આગામી એકથી દોઢ દાયકામાં સરકારમાંથી વયનિવૃત્તિનો રેશિયો સ્વાભાવિક રીતે ઘટશે . આ કારણે જ 16 વિભાગો દ્વારા જાહેર કરાયેલા ભરતી કેલેન્ડરમાં વર્ષ 2033 સુધીમાં નવી ભરતીની ગતિ ધીમી રહે તેવું ચિત્ર રજૂ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here