કર્મા ફાઉન્ડેશને અમદાવાદમાં જરૂરિયાતમંદ બાળકો અને ગરીબ લોકોને વિનામૂલ્યે પોષણયુક્ત ભોજન પૂરું પાડવા માટે શુક્રવારે તેના ફૂડ ટ્રક પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો. આ ફૂડ ટ્રક સમગ્ર શહેરમાં દરરોજ સેવા આપશે. શરૂઆતમાં એન.કે. પ્રોટિન્સ અને નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સહાય સાથે આ ફાઉન્ડેશનનો ઉદ્દેશ દરરોજ ઓછામાં ઓછા 200 લોકોને બપોરનું પોષણયુક્ત ભોજન પૂરું પાડવાનો છે અને ભવિષ્યમાં તેને નોંધપાત્ર રીતે વધારવાની યોજના છે.કર્મા ફાઉન્ડેશનના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સુશ્રી પ્રિયાંશી પટેલે જણાવ્યું હતું કે અમારો મુખ્ય ધ્યેય ઘરવિહોણા લોકો અને સુવિધાઓથી વંચિત બાળકોને ભોજન પૂરું પાડવાનો છે. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે તેઓ તેમના આરોગ્ય અને સુખાકારી માટે પોષણક્ષમ ભોજન મેળવે. આ પહેલ થકી કર્મા ફાઉન્ડેશન એવા સમુદાયની કલ્પના કરે છે જ્યાં ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ભૂખ કોઈ અવરોધ બને નહીં અને દરેક ભોજન વધુ સ્વસ્થ અને વધુ આશાપૂર્ણ સમાજના નિર્માણમાં યોગદાન આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here