હિંમતનગરઃ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયુ હોવા છતાંયે બ્રિજ વાહન વ્યવહાર માટે ચાલુ કરવામાં આવ્યો નથી. બીજી બાજુ બ્રિજ નજીકનો સર્વિસ રોડનો વાહનચાલકોને ફરજિયાત ઉપયોગ કરવા પડે છે. આ સર્વિસ રોડ ખૂબ બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર ખાંડા પડી ગયા છે. વરસાદી સીઝનમાં ખાડાઓમાં પાણી ભયાયેલા હોવાથી વાહનચાલકોને સર્વિસ રોડ પસાર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે. હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજનું નિર્માણ કામ પૂર્ણ થયું છે. જોકે લોકોને આ નેશનલ હાઈવે પર જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે. આ રોડની હાલત પહેલા જ વરસાદે એટલી ખરાબ પરિસ્થિતિમાં આવી ગયો છે કે અવારનવાર અહીં અકસ્માત થતા રહે છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડે છે. શહેરના મોતીપુરા પાસેથી નેશનલ હાઈવે પસાર થાય છે. જોકે નેશનલ હાઈવેની સાઈડોમાં બનાવવામાં આવેલો સર્વિસ રોડ બિસ્માર બનતા શહેરીજનો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે. પહેલા વરસાદે જ રોડ રસ્તાની હાલત ખરાબ થતાં વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
હિંમતનગરના મોતીપુરાથી સહકારી જીન સુધીનો સર્વિસ રોડ બિસ્માર થતાં સ્થાનિક વેપારીઓ તેમજ અહીંથી પસાર થતાં હજારો વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જોકે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સર્વિસ રોડ પર મોટા ખાડા હોવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ વારંવાર સર્જાતા હોય છે.એટલું જ નહીં પરંતુ સર્વિસ રોડની બાજુમાં વેસ્ટ વિયરની લાઈનોનું કામ પણ અધૂરું અને જે કામ પૂર્ણ થયું ન હોવાના કારણે પણ અકસ્માતો થવાની સ્થાનિકોને દહેશત સતાવી રહી છે. જોકે વેસ્ટ વિયર લાઈનનું જે પણ કામ પૂર્ણ થયું છે, તેમાં યોગ્ય પુરાણ ન થયું હોવાના કારણે પણ અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. જોકે સત્વરે યોગ્ય સમારકામ કરવા માટેની સ્થાનિકો માંગ કરી રહ્યા છે.