માનવ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિન કહ્યું હતું કે માણસ એક સામાજિક પ્રાણી છે. તે પૃથ્વી પરના બીજા સજીવ કરતાં અલગ પડે છે. મનુષ્યને કુદરત તરફથી એવી અનોખી ભેટ મળેલી છે કે તે સ્વતંત્ર રીતે વિચાર કરી શકે, લાગણીઓ વ્યક્ત કરી શકે અને પરિસ્થિતિ અનુસાર પ્રતિક્રિયા આપી શકે છે. આજ માનવલક્ષી ક્ષમતાઓ મનુષ્યને પૃથ્વી પરના અન્ય સજીવો કરતાં ખૂબ જ વિશિષ્ટ બનાવે છે.
માનવ જીવનનું મુખ્ય લક્ષણ એટલે સામાજિક આંતરક્રિયા. માણસ સતત અન્ય માનવો સાથે સંપર્કમાં રહેતો હોય છે. જેમ જેમ માનવ મગજની સમજણ અને બુદ્ધિ વિકસતી ગઈ, તેમ તેણે સંચાર માટેના માધ્યમોમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવતું ગયું. પ્રાચીન સમયમાં સંદેશા આપ-લે કરવા માટેનું માધ્યમ લોકો દ્વારા મૌખિક રીતે પહોંચાડતા, પ્રાણીઓ–પક્ષીઓ (જેમ કે કબૂતર)ની મદદ લેવામાં આવી. પછી ટપાલ વ્યવસ્થા, ટેલીફોન, ટેલિગ્રાફ જેવી પદ્ધતિઓ વિકસતી ગઈ. આજના આધુનિક યુગમાં સ્માર્ટ ટેકનોલોજી, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાર અતિ સહેલો અને ઝડપી બની રહ્યો છે. ટૂંકમાં કહીએ તો, સમય અને જરૂરિયાત અનુસાર મનુષ્ય સંચારનાં સાધનોમાં સતત બદલાવ લાવ્યો છે.
આજના સ્માર્ટ ટેકનોલોજીના યુગમાં મનુષ્ય એટલો આગળ વધી ગયો છે કે તેની દૈનિક જીવનની મોટાભાગની પ્રવૃત્તિઓ ટેકનોલોજી પર આધારિત બની ગઈ છે. શૈક્ષણિક કાર્ય, વ્યવસાય, ખરીદી, મનોરંજન, સામાજિક સંપર્ક હવે બધું જ હવે એક સ્ક્રીન સુધી સીમિત થતું જાય છે. આ યુગમાં એવું કહી શકાય કે કોઈપણ વ્યક્તિ ટેકનોલોજીથી સંપૂર્ણપણે દૂર રહી શકતી નથી. ટેકનોલોજીના વિકાસે વિશ્વને પરસ્પર સાંકડું બનાવી દીધું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ માહિતી મેળવી શકે છે અને તેનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે.
જ્યાં એક તરફ ટેકનોલોજીએ જીવન સરળ બનાવ્યું છે, તો બીજી તરફ તેની ડીપેન્ડેસી માનવજીવન માટે જોખમી સાબિત થઈ રહી છે. એવું કહી શકીએ કે કોઈપણ વયની વ્યક્તિ આમાંથી બાકાત રહી નથી.






