ગાંધીનગર, 4 ફેબ્રુઆરી, 2026 – Sujalam Sufalam Jal Abhiyan સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો આગામી ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” શરૂ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આ અભિયાન આગામી તા. ૨૧ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૮ વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે. આ અભિયાન અન્વયે વરસાદ વહેલો આવે તો તે પહેલા પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવો ઊંડા કરવાની કામગીરીની દર વર્ષ કરતાં વહેલી શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત આગામી તા. ૦૩ માર્ચના રોજ રોજ હોળી છે, જેથી શ્રમિકો તહેવારને લઈને વતન જતાં હોવાથી કામગીરીમાં વિલંબ ન થાય તે માટે પણ આ અભિયાન વહેલા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૧૮થી ૨૦૨૫ સુધી છેલ્લા ૮ વર્ષમાં અંદાજે ૧૩,૯૯૪ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે તથા ૨૬૦ લાખ કરતાં વધુ માનવદિન થકી શ્રમિકોને રોજગારી આપવામાં આવી છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here