માતા-પિતાનું શ્રદ્ધાથી સ્મરણ કરવું એ શ્રાદ્ધ છે.
લોકમત કરતા પણ સાધુમત વધારે મહત્વનો છે.
“રામચરિતમાનસ મારું હાલતું ચાલતું ઔષધાલય છે”યવતમાલની ભૂમિ પરથી રામ જન્મોત્સવ ગવાયો,ઊજવાયો. મહારાષ્ટ્રની ભૂમિના વીર અને ધીર લોકોથી ભરેલી ધરાને પ્રણામ કરતાં યવતમાલ-વિદર્ભથી ચોથા દિવસની રામકથાનો આરંભ કરતાબાપુએ કહ્યું કે લોકમત કરતા પણ સાધુમત વધારે મહત્વનો છે. આજે એક પ્રશ્ન એવો હતો કે બાપુ તમે શા માટે કાળો રંગ વધારે પસંદ કરો છો?ત્યારે કહેવાયું કે મારા નીજ મત અનુસાર કાળો રંગ ન તો શુભ છે ન અશુભ છે.એ શુભ અને અશુભ બંનેથી પર છે એટલે કાળો રંગ વધારે પસંદ છે.કાળો રંગ બધાને પસંદ છે આપણી અવતાર લીલામાં રામ,કૃષ્ણ જેવા મહત્વના અવતારો શ્યામ વર્ણના આવ્યા છે.મીરાબાઈનું પણ ઉદાહરણ છે કે એને કાળી કામળી ગમે છે કારણ કે કાળો રંગ એ દરેકનો સ્વિકાર કરે છે.

એટલે જ ઉનાળામાં કાળા રંગને બદલે સફેદ રંગની છત્રી આપણે ઓઢીએ છીએ. ૧૦૮ વખત હનુમાન ચાલીસાનો પાઠ એક આસન ઉપર બેસીને કરીએ તો સિદ્ધ થાય કે નહીં?બાપુએ કહ્યું કે સિદ્ધ કરવા માટે કે સિદ્ધ થવા માટે નહીં પણ શુદ્ધ થવા માટે કરો.કારણ કે ભલભલા સિધ્ધોને આપણે પોતાની ઊંચાઈએથી નીચે પડી જતા જોયા છે. પરંતુ હનુમાન ચાલીસામાં ચાર વખત હનુમાન શબ્દ આવ્યો છે.ચાલીસામાંથી બાકીનું શૂન્ય કરી દઈએ તો ચાર વખત આવેલા હનુમાનને પકડો! એ ચાર એટલે ધર્મ,અર્થ,કામ અને મોક્ષ.હનુમાન ધર્મ પ્રદાન કરે છે. હનુમાન અર્થ પ્રદાન કરે છે.એ આપણા કર્તવ્ય
તરફ પ્રેરિત કરે છે અને આપણને મુક્તિ અને આરામ પ્રદાન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here