વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ડિસેમ્બરે કુવૈત જશે. અહીં પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. 43 વર્ષ બાદ આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ PM કુવૈતની મુલાકાતે છે. પીએમ સપ્ટેમ્બરમાં કુવૈતના ક્રાઉન પ્રિન્સને મળ્યા હતા. આ મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે કહ્યું, “વડાપ્રધાન મોદી 21 અને 22 ડિસેમ્બરે કુવૈતના અમીર, મહામહિમ શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાત લેશે. “43 વર્ષમાં ભારતીય વડા પ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે અને તેથી, તે ખૂબ મહત્વ ધરાવે છે.”

વિદેશ મંત્રાલયે માહિતી આપી
વિદેશ મંત્રાલય (MEA) એ શુક્રવારે કહ્યું કે આ મુલાકાતથી ભારત અને કુવૈત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવાની અપેક્ષા છે. MEA અનુસાર, આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર અને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે. પીએમ મોદીને આ આમંત્રણ કુવૈતના અમીર શેખ મશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહ દ્વારા આપવામાં આવ્યું છે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કુવૈતના ટોચના નેતૃત્વને મળશે અને ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે કુવૈતમાં ભારતીય સમુદાય સૌથી મોટો વિદેશી સમૂહ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here