ગાંધીનગર, 17 જાન્યુઆરી 2026: Metro’s daily travel increases fourfold અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા આજે ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત ઉદાહરણ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 11મી જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનો શુભારંભ કરાવ્યો હતો.
મેટ્રો નેટવર્કનું હવે મહાત્મા મંદિર સુધી વિસ્તરણ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ સુગમ બનશે તેમજ ખર્ચની પણ બચત થશે.
પ્રવાસીઓને હવે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન સુધીની સીધી કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત, અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા મહત્વના પ્રવાસન સ્થળો સુધી મેટ્રો દ્વારા સરળતાથી પહોંચી શકાશે. મેટ્રો નેટવર્કના આ વિસ્તરણને કારણે હજારો કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને મોટો ફાયદો થશે.
ખાસ કરીને, મહાત્મા મંદિરમાં આયોજિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોમાં આવતા મહેમાનો તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.








