પ્રયાગરાજ: પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણીએ મહાકુંભ મેળામાં પગ મૂક્યો છે. મમતા હવે ગૃહસ્થ જીવનમાંથી નિવૃત્તિ લેશે અને સાધ્વીનું જીવન જીવશે. તેમને મહામંડલેશ્વર બનાવવામાં આવશે. શુક્રવારે મમતા કુલકર્ણી ભગવા કપડા પહેરીને મહાકુંભના સેક્ટર નંબર 16 સ્થિત કિન્નર અખાડાના કેમ્પમાં પહોંચી હતી. અહીં તેમનો રાજ્યાભિષેક થશે. મમતા કુલકર્ણીના આગમનના . મળતા જ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

કિન્નર અખાડા દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણી શુક્રવારે કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનશે. સંગમ ખાતે પિંડ દાન બાદ સાંજે 6 વાગ્યે કિન્નર અખાડામાં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવશે. હવે તેનું નામ શ્રી યામિની મમતા નંદ ગીરી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here