પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યું. અહેવાલો અનુસાર બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં છેલ્લા 42 દિવસમાં 13 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. આ લેટેસ્ટ ઘટના 11 જાન્યુઆરીની રાત્રે બાંગ્લાદેશના ચટગાંવના દાગનભૂઈયામાં બની હતી. 28 વર્ષીય હિન્દુ યુવક સમીર દાસ પર હુમલાખોરોએ છરી વડે હુમલો કર્યો હતો. સમીર વ્યવસાયે ઓટો-રિક્ષા ચાલક હતો. સમીરની હત્યા કર્યા બાદ હત્યારાઓ તેની ઓટો-રિક્ષાની ચોરી કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સમીરની હત્યા દેશી બનાવટના હથિયારથી કરવામાં આવી હતી. સમીરનો મૃતદેહ ઉપઝિલા હોસ્પિટલ નજીકથી મળી આવ્યો હતો. પ્રથમ દૃષ્ટિએ આ પૂર્વયોજિત હત્યા હોવાનું જણાય છે. હત્યારાઓએ હત્યા બાદ ઓટો રિક્ષાની પણ લૂંટ કરી હતી. પીડિત પરિવાર આ મામલામાં એફઆઈઆર દાખલ કરશે. અમે હુમલાખોરોની ઓળખ માટે ઓપરેશન શરૂ કર્યું છે.

નોંધનીય છે કે બાંગ્લાદેશમાં છેલ્લા 25 દિવસમાં અનેક હિન્દુ યુવાનોની હત્યા કરવામાં આવી છે. દીપુ ચંદ્ર દાસની 18 ડિસેમ્બરે હત્યા કરવામાં આવી હતી. મયમનસિંહ જિલ્લાના ભાલુકા વિસ્તારમાં કટ્ટરવાદીઓના ટોળાએ દીપુને માર માર્યો હતો. છ દિવસ પછી 25 ડિસેમ્બરે અન્ય એક હિન્દુ યુવક અમૃત મંડલની પણ હત્યા કરવામાં આવી હતી. 17 કરોડની વસ્તી ધરાવતા મુસ્લિમ બહુમતીવાળા બાંગ્લાદેશમાં 2024 સુધીમાં પરિસ્થિતિ સતત બગડતી જઈ રહી છે. દરમિયાન, ઈસ્લામિક કટ્ટરવાદના ઉદયને કારણે હિંદુઓ સહિત લઘુમતીઓ પર હુમલામાં વધારો થયો છે. બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ, ધાર્મિક ભેદભાવ વિરુદ્ધ કામ કરતી માનવાધિકાર સંસ્થાએ દેશભરમાં લઘુમતી સમુદાયો પર વધી રહેલા હુમલાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

સંસ્થાના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય ચૂંટણી નજીક આવતાં સાંપ્રદાયિક હિંસા સતત વધી રહી છે. મુસ્લિમ બહુમતીવાળા બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓ પરના હુમલાની ભારતે પણ સખત નિંદા કરી છે. જો કે, બાંગ્લાદેશના વચગાળાના નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે ભારત પર હિંસાના સ્તરને અતિશયોક્તિ કરવાનો આરોપ લગાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here