બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના અધ્યક્ષ તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વિદેશ મંત્રાલયે તેની સત્તાવાર જાહેરાત કરી છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે ભાજપની આકરી ટીકા કરી છે. કોંગ્રેસના નેતા અખિલેશ પ્રસાદ સિંહે બાંગ્લાદેશના નવા પીએમ તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા ઓમ બિરલા પર ટિપ્પણી કરી હતી.
બિરલાને કેન્દ્ર સરકાર તરફથી પુરસ્કાર મળ્યો છે
અખિલેશે કહ્યું કે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ગૃહમાં બોલવા ન દેવા બદલ બિરલાને કેન્દ્ર સરકાર તરફથી આ ઈનામ છે. ANI સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં સિંહે કહ્યું, “ઓમ બિરલાને સરકાર તરફથી ઈનામ મળ્યુ હશે કારણ કે તેમણે રાહુલ ગાંધીને લોકસભામાં બોલવા દીધા ન હતા.” તેમણે કહ્યું, “હવે જ્યારે (બાંગ્લાદેશમાં) નવી સરકાર બની ગઈ છે, ત્યારે ભારત સરકારે ત્યાં જઈને લઘુમતી હિંદુઓ પર અત્યાચારનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવવો જોઈએ અને ત્યાંના તણાવનો અંત લાવવો જોઈએ.”
RSS ફંડિંગ પર અખિલેશ સિંહનું શું કહેવું છે?
વધુમાં, સિંહે કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગેની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પરની ટિપ્પણીઓને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે તેના રજીસ્ટ્રેશન અને ફંડિંગ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો સાચા છે.
અખિલેશે કહ્યું, “તેમનો પ્રશ્ન સાચો છે કારણ કે લાંબા સમયથી આરએસએસનું રજીસ્ટ્રેશન થયું નથી. પૈસાની વાત કરીએ તો એ વાત સાચી છે કે જ્યારે ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે થોડીક છેતરપિંડી થઈ હતી. તેના કારણે એક ખાસ પાર્ટી એટલી વધી ગઈ છે કે હવે કોઈ લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી.” અગાઉ કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને “શેતાનનો પડછાયો” ગણાવ્યો હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની નાણાકીય પારદર્શિતા અને કાયદાકીય સ્થિતિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.








