ગાંધીનગરઃ રાજ્યના બગસરા-ઉનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 351-Kના 89 કિલોમીટરની લંબાઈના માર્ગને બૅ લેનવાળા પાકા શૉલ્ડરમાં અપગ્રેડ કરાશે.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા આ અંગે માહિતી આપતા કહ્યું, 943 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ ધોરીમાર્ગને અપગ્રેડ કરવા મંજૂરી આપવામાં આવી છે.આ પ્રૉજેક્ટનો ઉદ્દેશ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે.

આ રસ્તો રાષ્ટ્રીય રાજમાર્ગ 351 અને રાષ્ટ્રીય રાજમાર્ગ 51 વચ્ચે જોડાણ તરીકે કામ કરે છે, જે વેરાવળ અને પીપાવાવથી સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં રાજકોટ, જામનગર, મોરબી તરફ જતા બંદર ટ્રાફિક માટે વૈકલ્પિક માર્ગ પૂરો પાડશે. આ ગીર વન્યજીવન અભયારણ્યને પણ મોટા પ્રમાણમાં બાયપાસ કરે છે, જે વન્યજીવોની મુશ્કેલીઓ ઘટાડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here