પ્રાંતિજઃ અમદાવાદ-ઉદયપુર હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે પ્રાતિંજ નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં કાટવાડ બ્રિજ નજીક ટ્રક-લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ પ્રવાસીઓના મોત નિપજ્યા હતા જ્યારે 8 પ્રવાસીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે,  સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ મુસાફરનાં મોત થયાં, જ્યારે 7ને ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને 108 મારફત હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતાં પોલીસ, 108, ફાયર, હાઇવે ટ્રાફિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં પ્રવાસ કરી રહેલા ત્રણ પ્રવાસીના મોત નિપજ્યા છે. ત્રણેય મૃતદેહો પ્રાંતિજ સરકારી દવાખાને લાવવામાં આવ્યા છે. તેમનાં સગાંસંબંધીઓને સંપર્ક કરવામાં આવી રહ્યો છે.  મૃતકોમાં એક સ્ત્રી અને બે પુરુષ સહિત ત્રણનો સમાવેશ થાય છે. સાત ઈજાગ્રસ્તને હિંમતનગર સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે.

મુંબઈના બોરીવલીથી ઉદયપુર જતી ખાનગી બસ (BR-28-P-3636) સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે અકસ્માતનો ભોગ બની છે. સોમવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે 48 પર કાટવાડ ઓવરબ્રિજ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. કાટવાડ ઓવરબ્રિજ નજીક આગળ જઈ રહેલી ટ્રકમાં ખાનગી બસ ઘુસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ખાનગી બસની ડાબી સાઈડ ચિરાઈ ગઈ હતી. ઓવરબ્રિજની સાઈડની રેલિંગને ટકરાયા બાદ ખાનગી બસ ઊભી રહી હતી. પ્રવાસીઓમાં અફરાતફરી થઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here