અમદાવાદઃ સમાન્યથી અસામાન્ય બનેલી વિરાંગના અહિલ્યાદેવી હોળકરની 300 મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મહિલા સમન્વય,કર્ણાવતી તેમજ માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા 22, 23 માર્ચ 2025 ના રોજ લોકમાતા નાટકનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યુ. એચ.કે કોલેજના સભાગૃહમાં આ નાટકના 4 શો પ્રસ્તુત થયા, જે નિહાળવા કલા ગુરુ સ્મિતા શાસ્ત્રી જેવા કલાકારો, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ ગુજરાતના સેવાકીય ક્ષેત્રે કામ કરતા 3000 થી વધુ લોકો આવ્યા હતા.

આ નાટકની વિશેષતા એ હતી કે તેનું લેખન અને દિગ્દર્શન ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) ના વૈજ્ઞાનિક નંદિની દેશપાંડે અને ડો. ધવલ વર્તકે કર્યું હતું, જ્યારે પ્રસ્તુતિ કરનારા તમામ કલાકારો પોતાના ક્ષેત્રમાં શિખર પર કાર્યરત છે. આ પ્રયોગ એ સાબિત કરે છે કે વિજ્ઞાન અને કલા સાથે મળે ત્યારે એ માત્ર મનોરંજન પૂરતું જ સીમિત રહેતું નથી, પણ સમાજ માટે પ્રેરણાનું મજબૂત માધ્યમ બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here