અમદાવાદમાં સાવલિયા નાગજીભાઈ મનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમસ્ત સાવલિયા પરિવાર વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું. દ્વારકેશ હવેલીના ગોસ્વામી શ્રી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના હસ્તે વાડીનું લોકાર્પણ સંપન્ન થયું. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડીયા, પરસોત્તમભાઈ ગેવરીયા અને મગનભાઈ રામાણી સહિત સમાજના અગ્રણીઓએ હાજરી આપી. સાથે જ બાળકો માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ વિઠ્ઠલભાઈ નાગજીભાઈ સાવલિયાએ વાડીના ઇતિહાસ વિશે માહિતી આપી હતી. સાવલિયા સમાજની વાડીનો વિચાર 1998માં સ્વ. ભાનુભાઈ નાગજીભાઈએ રજૂ કર્યો હતો. 2011માં તેમના પુત્ર સ્વ. દિનેશભાઈએ 3,500 ચોરસ વાર જમીન દાનમાં આપી પિતાનું સ્વપ્ન સાકાર કર્યું હતું. વર્ષ 2022થી ચાર ભાઈઓએ સંયુક્ત પ્રયાસથી વાડીના બાંધકામનું કાર્ય પૂર્ણ કર્યું. આ વાડી હવે સાવલિયા પરિવારની એકતા, સંસ્કાર અને સમર્પણનું પ્રતીક બની રહી છે અને રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here