દ્વારકા મંદિરમાં ફૂલડોલ મહોત્સવમાં વિશેષ આયોજન
દ્વારકા મંદિરમાં હોળી-ધુળેટી તહેવારની ઉજવણી
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે

દ્વારકા મંદિરમાં હોળી પર ઇતિહાસમાં પ્રથમ વખત વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આગામી હોળી અને ધુળેટીના તહેવારને લઈને દ્વારકામાં આખા મંદિરને લાઈટીંગથી શણગારવામાં આવ્યું છે. મંદિરમાં કરવામાં આવેલ વિશેષ લાઈટિંગનો નજારો જોઈ ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી. મંદિરમાં ભક્તોની વધતી ભીડને લઈને પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

મંદિરની શોભામાં વધારો થશે
દ્વારકા મંદિરમાં હોળી-ધુળેટીના તહેવાર પર ભક્તોનો ભારે ધસારો રહે છે. ઇતિહાસમાં પ્રથમ વખત હોળી ફૂલડોલ ઉત્સવમાં દ્વારકાધીશ મંદિર પર લાઈટીંગ કરવામાં આવ્યું. અત્યાર સુધી કૃષ્ણ જન્માષ્ટમીમાં મંદિર પર લાઈટિંગ કરવામાં આવતી હતી પણ આ વખતે હોળી-ધુળેટી તહેવાર પર મંદિરમાં લાઈટીંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી જગતમંદિરની શોભામાં અભૂતપૂર્વ વધારો થશે.

મંદિરમાં હોળી-ધુળેટી તહેવારની ઉજવણી
ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરોમાં દ્વારકા મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જુનું છે. વર્ષો જૂના અને હિંદુઓના આસ્થાનું પ્રતિક એવા રણછોડરાયના મંદિરમાં જન્માષ્ટમી બાદ હોળી અને ધુળેટીના તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દ્વારકામાં આ તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવની મોટાપાયે ઉજવણી થાય છે. અંબાજી મંદિરમાં જેમ ભાદરવા પૂનમે માતાના દર્શન કરવાનું માહાત્મય છે તેમ દ્વારકામાં પણ હોળી તહેવાર દરમિયાન ભક્તો પગપાળા યાત્રા કરી ભગવાન કૃષ્ણના દર્શનનો લહાવો લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here