રાજસ્થાન
મળતી માહિતી મુજબ ઝૂંપડામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોવિંદની પુત્રી હિન્દુરામ જોગી અને તેનો ચાર મહિનાનો પુત્ર વિષ્ણુ ઝૂંપડીની અંદર હાજર હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે બંને બહાર ન આવી શક્યા અને તેઓનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. સીઓ ગોમારામ, પોલીસ અધિકારી લક્ષ્મણસિંહ ચંપાવત અને પોલીસ ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે મૃતક માતા અને માસુમ બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તેમના સંબંધીઓને સોંપી દીધા છે.








