દ્વારકાધીશની પાવન ભૂમિ પર પાંચમા દિવસના કથા સંવાદનો આરંભ કરતા પૂજ્ય બાપુએ એક પ્રશ્ર્નના સમાધાનમાં કહ્યું કે શ્રીમદ ભાગવતજીમાં ચતુશ્લોકીનું બહુ મહત્વ છે. રામચરિત માનસમાં ચતુર્લોકી છે! ચોપાઇ,છંદ, સોરઠા અને દોહા એ રામાયણની ચતુર્લોકી છે. બાપુએ કહ્યું કે રામાયણમાં ચાર સંવાદ પણ રામાયણની ચતુશ્લોકી -ચતુર્લોકી છે.આમ તો આપણી સંસ્કૃતિમાં ચાર વેદ, ચાર યુગ, ચાર પુરુષાર્થ, ચાર ફળ, જીવની ચાર અવસ્થા, ગીતાના ન્યાયે ભક્તના ચારપ્રકાર આદિ ચાર ચારનો મહિમા છે. પરંતુ રામચરિત માનસના ચાર સંવાદ, એ રામાયણની ચતુશ્લોકી છે. મહાદેવ મહાદેવીનેmસાથે સંવાદ કરે છે, યાજ્ઞવલ્ક્યજી ભારદ્વાજજી સાથે, કાકભુસંડીજી શિવજી સાથે અને ગરુડજી સાથે સંવાદ કરે છે તેમ જતુલસીદાસજી પોતાના મન સાથે સંવાદ કરે છે.મહાભારતમાં સંવાદને સત્યનો પર્યાય કહ્યો છે.મહાભારતમાં દાદા ભીષ્મે તેર બાબતને સત્યના પર્યાય તરીકે વર્ણવી છે. કોઇની નિંદા ન કરવી એ સત્યનો પર્યાય છે. સ્પર્ધા નકરવી, ક્ષમા આપવી, શ્રદ્ધા, સંવેદના, અકૃત, નિષ્કપટતા આદિ સત્યના પર્યાય છે.બાપુએ કહ્યું કે શાસ્ત્ર કે સદ્ગુરુ આપણને સંકેત કરે, પણ ચાલવું તો આપણે જ પડે છે. બિમારી ઠીક કરવા ડૉક્ટર નિદાન કરીનેદવા ચીંધે પણ દર્દીએ જ દવા તો ખાવી પડે છે.પરમાત્મા આપણી સાથે જ છે પરંતુ એની મરજી પ્રમાણે આપણે ય કૈંક કરવું પડે છે. જગતગુરુ ભગવાન શંકરાચાર્ય તો કહે છે કેગુરુ પાસેથી તને પ્રજ્ઞા પ્રાપ્ત થઈ હોય તો તું જાતે તર. એ તને તરવાનો માર્ગ બતાવશે પણ તરવુ તો તારે જ પડશે."આ સંદર્ભે બાપુએ કહ્યું કે જગતગુરુ તો જગતગુરુ છે પણ આપણી એ કક્ષા નથી. આપણે તો એમ કહી શકીએ કેહે સદ્ગુરુ! તમે રે તારો તો અમે તરીએ….! વિભીષણ પાસે સિતાજી (ભક્તિ) સુધી પહોંચવાની બધી જ યુક્તિ છે, છતાં એ પોતે કદી એના સુધી પહોંચી શકતો નથી. જ્યારેશ્રી હનુમાનજીના મુખે રામકથા સાંભળે છે એ પછી તે હનુમાનજીને સિતા સુધી પહોંચવાની યુક્તિ બતાવે છે અને એ રીતેહનુમાનજી સિતાજી સુધી પહોંચે છે. બાપુએ કહ્યું કે એટલા માટે જ સહુએ કથા સાંભળવી જોઈએ. કથા સાંભળી ન શકો તોસાંભળનારને અનુમોદન આપો.ઉપનિષદના સંદર્ભમાં શ્રી કૃષ્ણને બ્રહ્મ તરીકે પ્રસ્થાપિત કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે બ્રહ્મ તો એક જ છે પણ ઉપનિષદે કૃષ્ણનાપાંચ બ્રહ્મ સ્વરુપો વર્ણવ્યા છે. એક – અન્નમ્ બ્રહ્મેતિ વ્યજાનાત્ . અન્ન બ્રહ્મ છે. અન્ન કૃષ્ણનું સ્વરુપ છે. અન્નને બ્રહ્મ જાણ. અન્નની નિંદા ન કર. અન્ન રૂપે કૃષ્ણ આપણો આહાર છે. જલારામ બાપાએ રોટલામાં રામને જોયા. એ રોટલાએ બહુ મોટી ક્રાંતિ કરી છે. અન્નની આવી ઉપાસના થતી હોય, ત્યાં બ્રહ્મે બ્રાહ્મણનું રૂપ લઇને આવવું પડે છે! ઉપનિષદનું બીજું સૂત્ર છે – મનો બ્રહ્મેતિ વ્યજાનાત્મ ન બ્રહ્મ છે. કૃષ્ણ ગીતામાં કહે છે કે ઇન્દ્રિયોમાં મન મારી વિભુતિ છે. ત્રીજું સૂત્ર છે – પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત્ પ્રાણ બ્રહ્મ છે.કૃષ્ણ આપણો પ્રાણ છે. કારણ કે પ્રાણ ઇશ્વરનો પર્યાય છે. ચોથું, વિજ્ઞાાનો બ્રહ્મેતિ વ્યજાનાત્" – વિજ્ઞાન બ્રહ્મ છે અને કૃષ્ણવિજ્ઞાની છે. મહાભારતનું અવલોકન કરો તો કૃષ્ણનું મનોવિજ્ઞાન પકડાય છે.પાંચમું છે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત્. કૃષ્ણ સ્વયં આનંદ બ્રહ્મ છે. કૃષ્ણ સચ્ચિદાનંદ છે.કૃષ્ણ મય બનેલા કથા મંડપમાં ભાવપૂર્વક કૃષ્ણ-સંકીર્તન અને લોક રાસના પાવનાનંદ સાથે બાપુએ આજના કથા સંવાદને વિરામ આપ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here