શુક્રવારે બપોરે જયપુરના માનસરોવર વિસ્તારમાં રિકો ઇન્ટરસેક્શન પાસે 70 મુસાફરોથી ભરેલી રોડવેઝની બસમાં આગ લાગી હતી. બસમાં ધુમાડો નીકળવા લાગતા જ ડ્રાઈવરની સમજદારીથી તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાથમિક માહિતી મુજબ આ બસ સિંધી કેમ્પ બસ સ્ટેન્ડથી કેકરી જવા રવાના થઈ હતી. બપોરે 2.30 વાગ્યે જ્યારે બસ રિકો ઈન્ટરસેક્શન પાસે પહોંચી ત્યારે અચાનક એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે કેટલાક મુસાફરોએ પોતાનો જીવ બચાવવા બસની બારીઓમાંથી કૂદી પડયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here