અમદાવાદ, 18 ફેબ્રુઆરી, 2026 – Gujarat University ગુજરાત યુનિવર્સિટીના સ્કુલ ઓફ સાયકોલોજી, એજ્યુકેશન અને ફિલોસોફી વિભાગમાં આજે 18 ફેબ્રુઆરીને બુધવારે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા THE RELEVANCE OF CONTEMPORARY IN PSYCHOLOGY  WORLD’ થીમ ઉપર એક દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ મનોવિજ્ઞાનના અધ્યાપકો હાજર રહ્યા હતા.

આ એક દિવસે નેશનલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ મનોવિજ્ઞાન સાથે ભવિષ્ય તેમજ વર્તમાન સાથે સંબંધિત સમસ્યાઓ તેનું સમાધાન તેમ જ જરૂરી એવા નોવિજ્ઞાનના હસ્તક્ષેપ વિશે સંશોધન વિશે અલગ અલગ વિષય નિષ્ણાતો ધ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

મનોવિજ્ઞાન ભવનના ડાયરેક્ટર ચારણ સાહેબ, મનોવિજ્ઞાન વિષયના કોર્ડીનેટર ડો. શૈલેષ રાવલ અને ડો. મુકેશ પ્રજાપતિ દ્વારા કોન્ફરન્સનું  આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સનું સંચાલન ડો. અરવિંદભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સના મુખ્ય મહેમાન અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગના ડીસીપી ચિરાગભાઈ પટેલ સાહેબે સાઇબર સિક્યુરિટી, સાયબર સાયકોલોજી અને ક્રાઈમના વિષયમાં મનોવિજ્ઞાન વિશેની ભૂમિકા વિશે સમજ આપી હતી. માનસિક આરોગ્ય વિભાગના સુપ્રિટેન્ડેન્ટ  ડો.અજય ચૌહાણ અને ડો. ચિરાગ પરમાર દ્વારા મનોવિજ્ઞાન વિષય અને ન્યુરોસાયન્સ વિશે ભવિષ્યની યોજનાઓ અને કાઉનસેલર અને સાયકોલોજિસ્ટની ભવિષ્યલક્ષી ભૂમિકા વિશે ઊંડાણપૂર્વક વાત કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here