અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 103 નવીનતમ રેલવે સ્ટેશનોનુ લોકાર્પણ કરાયું હતું. જેમાં ગુજરાતના 18 રેલવે સ્ટેશનો પણ સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં રેલવે સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 103 નવીનતમ રેલવે સ્ટેશનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ સ્ટેશનોમાં ગુજરાતના 18 રેલવે સ્ટેશનો પણ સમાવેશ થાય છે,
રાજસ્થાનના બિકાનેરથી PM નરેન્દ્ર મોદી આજે ભારતભરનાં 103 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાપર્ણ કર્યું છે, જેનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનાં સામખીયાળી, ઉતરાણ, ડેરોલ, ડાકોર, કરમસદ, કોસંબા, મોરબી, કાનાલુસ, હાપા, ઓખા, મીઠાપુર, રાજુલા, મહુવા, લીંબડી, જામજોધપુર, સિહોર અને પાલીતાણા સહિત 18 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. લીંબડી રેલવે સ્ટેશનના ઉદ્ધાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીંબડી હેલિપેડથી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા છે. જેમનું હેલિપેડ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના જે રેલવે સ્ટેશનોનો આજે લોકાર્પણ કરાયો તેમાં સામખીયાળી, ઉતરાણ, ડેરોલ, ડાકોર, કરમસદ, કોસંબા, મોરબી, કાનાલુસ, હાપા, ઓખા, મીઠાપુર, રાજુલા, મહુવા, લીંબડી, જામજોધપુર, સિહોર અને પાલીતાણા સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે. તમામ લોકાર્પણ કાર્યક્રમ વડાપ્રધાનના વરદ હસ્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા એકસાથે યોજાયો હતો. આ અવસરે વડાપ્રધાને જણાવ્યું હતું કે રેલવે માત્ર પરિવહનનું માધ્યમ નથી, પરંતુ શહેરની ઓળખ પણ બને છે. “રેલવે સ્ટેશન હવે ટ્રેનના સ્ટોપેજ નહીં, પરંતુ શહેરના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ચહેરા બની રહ્યા છે.