અમદાવાદઃ ગુજરાતમાં આજે  બપોરે 2 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરાસદ પડ્યો હતોય જેમાં બનાસકાંઠાના અમીરગઢમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. આજે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં નવલારીના ગણદેવી, વલસાડના કપરાડા, જુનાગઢના વિસાવદર, રાજકોટના જેતપુર, સુરતના કામરેજ, સાબરકાંટાના ખેડબ્રહ્મા સહિત 118  તાલુકામાં વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યના 6 જિલ્લામાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠાના વડાલીમાં 24 કલાકમાં 12 ઇંચ તો ખેડબ્રહ્મામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે હરણાવ નદી બે કાંઠે વહી રહી છે.

સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. નઘોઈ, કીમ, મૂળદ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. માણાવદર તાલુકાના 25થી વધુ ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

પાવી જેતપુરના શિહોદ પાસે ભારજ નદી પરના ડાયવર્ઝન પર ગતરાત્રિએ મોટી તિરાડ પડી જતા કાયમ માટે ડાયવર્ઝન બંધ કરવું પડ્યું છે. નેશનલ હાઈવે 56 પર શિહોદ પાસે ભારજ નદી પરના રૂ.4 કરોડના ખર્ચે બનાવાયેલ ડાયવર્ઝન પર ગઈકાલે ભુવો પડ્યો હતો,અને તંત્ર દ્વારા તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કરાયો હતો,બીજી બાજુ ગઈકાલે સુખીડેમમાંથી બીજો ગેટ ખોલીને વધુ 1 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.અને કુલ 2 હજાર ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડતા પાણીની આવક વધતા ડાયવર્ઝન પર મોટી તિરાડ પડી હતી,જેને લઇને આ ડાયવર્ઝન કાયમ માટે બંધ કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.જો વધુ વરસાદ પડશે અને ભારજ નદીમાં પાણીનું પ્રમાણ વધશે તો આગામી દિવસોમાં ડાયવર્ઝન તૂટી જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકોને 40 કિમી ફરીને જવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here